આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ
જેલ પરિસરમાં ખુશીનો માહોલ સર્જાયો
Updated : August 14, 2025 11:14 am IST
Sushil pardeshi
શુશીલ પરદેશી, વડોદરા.
રાજ્ય સરકાર દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૪૭૩ હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ માં લાંબા સમય થી સજા ભોગવી રહેલા કેટલાક કેદીઓને વહેલા જેલ મુક્ત કરવા આદેશ કરાયો હતો. જે આદેશ બાદ વડોદરા મધ્યસ્થ જેલના અધિકારીઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ગતરોજ તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ આજીવન કેદની સજા ભોગવતા ૦૬ પુરુષ અને ૦૧ મહિલા સહિત કુલ૭ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવેલ હતા. વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી છેલ્લા બે વર્ષ માં આજીવન સજા હેઠળના કુલ=૧૦૬ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે.
દરમ્યાન ઘણા લાંબા સમયથી જેલમાં સજા ભોગવતા કેદીઓ જેલ મુક્ત થતા જેલ પરિસરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જેલ મુક્ત થયેલા લોકો પોતાનું જીવન કુટુંબ પરિવાર સાથે વ્યતીત કરે અને સમાજ ઉપયોગી બની રહે, તે હેતુસર જેલ પ્રશાશન દ્વારા તમામને ફુલહાર અને શ્રીફળ આપી સન્માનીત કરી જેલ મુક્ત કરવામાં આવેલ હતા, સાથે જ શેષ જીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.
જેલમાં આજીવન સજા ભોગવતા કેદીઓ ને ભૂલ સુધારી ફરી એકવાર જીવન જીવવા નો મોકો મળે તે માટે કલેક્ટરની અધ્ક્ષથ સ્થાને એક કમિટી બને છે. જે કીમીટીના સભ્યો દ્વારા જેલમાં લાંબા સમય થી સજા ભોગવતા કેદી ના ગુન્હાનો પ્રકાર અને જેલમાં વિતાવેલ સમય દરમ્યાન તેની વર્તણુકની સમીક્ષા કરાય છે. જેના આધારે આ કમિટી રાજ્ય સરકારને યોગ્યતા ધરાવતા કેદીઓને ફરી એક તક આપવા અર્થે વહેલી જેલ મુક્તિ માટેની ભલામણ કરે છે. જે બાદ રાજય સરકાર દ્દ્રારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૪૭૩ હેઠળ આવા કેદીઓને વહેલી જેલ મુક્તિ નો આદેશ કરે છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકતો વેનચાલકનો વિડિઓ વાયરલ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
