Updated : August 30, 2025 12:46 am IST
Bhagesh Pawarસંસ્કારી નગરી વડોદરા ના ભવિષ્ય એવા શાળાના બાળકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર અને વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી ના સંયુક્ત ઉપક્રમે આજવા રોડ પર આવેલ પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે "શાળા સલામતી અને સુરક્ષા" વિષય પર એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિર વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશનર ડૉ લીના પાટીલ, જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે અને સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલ નાં અધ્યક્ષ યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કેળવણી નિરીક્ષક રણજીતસિંહ ડાભી એ કર્યું હતું.
આ મહત્વપૂર્ણ શિબિરમાં 600 થી 700 જેટલી શાળાઓના સંચાલકો, આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો, બિન શૈક્ષણિક સ્ટાફ, સેવકો અને સુરક્ષા ગાર્ડ સહિત મોટી સંખ્યામાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા
હતા.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.