અકસ્માત કે હત્યા..? રાવપુરા જાહેર માર્ગ પર યુવકનો મળ્યો લોહીથી લથપથ મૃતદેહ.
તરસાલી થી રાવપુરા કેવી રીતે કોની સાથે પહોંચ્યો..?
Updated : July 21, 2025 11:09 am IST
Sushil pardeshi
આજરોજ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પરથી લોહીમાં ખાદબદતો એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મોડી રાત્રે લગભગ ૩:૪૮ વાગે રાવપુરા પોલીસને કોટી ચાર રસ્તા પાસે રાવપુરા મ એક યુવકનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો. કોઈએ ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને જોતા પોલીસને જાણ કરી હતી.
હવે પોલીસે એડી દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવકનું નામ યસ ઠાકુર હોવાનું જાણવા મળ્યું છે. તેની ઉમર આશરે પચીસ વર્ષ છે. મૃતક યસ ઠાકુર મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની અને હાલ તરસાલી વિસ્તારમાં રહે છે. લારી પર મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે તેવામાં આ યુવક રાવપુરા કેમ આવ્યો હતો એ પણ એક તપાસનો વિષય છે.
પોલીસ તપાસમાં સ્થળ પરથી કોઈ પણ વાહન મળેલ નથી જેથી આ યુવક તરસાલી થી રાવપુરા કેવી રીતે કોની સાથે પહોંચ્યો તે દિશામાં પણ પોલીસ ઘનિષ્ઠ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરા પણ ચેક કરાવી રહ્યા છે. હાલ પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે આ યુવક હીટ એન્ડ રન કેસ નો શિકારથયો છે કે કોઈકે તેનું મર્ડર કર્યું છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
