સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
Updated : August 13, 2025 07:02 pm IST
Sushil pardeshiનલસા વીર પરિવાર સહાયતા યોજના ૨૦૨૫ હેઠળ વડોદરામાં કાનૂની સેવા ક્લિનિકનો શુભારંભ
આ ક્લિનિક નિ:શુલ્ક, સમયસર અને નિષ્ણાત કાનૂની સહાય પૂરી પાડતી સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે
વડોદરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), વડોદરા દ્વારા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય (DSWRO)ના સહયોગથી 'નલસા વીર પરિવાર સહાયતા યોજના ૨૦૨૫' હેઠળ સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પહેલનો અંતર્ગત ફરજ પરના અને ભૂતપૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારોને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં દરમ્યાન ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLA)ના પેટ્રન-ઈન-ચીફ, જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ કાનૂની સેવા ક્લિનિક, સશસ્ત્ર દળોના સભ્યો દ્વારા પેન્શન, સેવા સંબંધિત લાભો, જમીન વિવાદો અને અન્ય કલ્યાણકારી મુદ્દાઓમાં અનુભવાતા પ્રશ્નો ઉકેલવામાં મદદ કરશે. આ સાથે આ ક્લિનિક નિ:શુલ્ક, સમયસર અને નિષ્ણાત કાનૂની સહાય પૂરી પાડતી સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. આ ક્લિનિક દ્વારા શહીદ સૈનિકોની વિધવાઓ અને આશ્રિતોને તેમના કાયદેસરના લાભો મેળવવામાં મદદ પૂરી પાડશે. આ સાથે ફરજ પરના અને નિવૃત્ત સૈનિકોને સેવા સંબંધિત કાનૂની બાબતોના નિરાકરણમાં સહાય કરશે. વધુમાં સિવિલ વિવાદો, મિલકત સંબંધિત મુદ્દાઓ અને કલ્યાણકારી યોજનાઓને લગતી ફરિયાદોનું પ્રાધાન્યતાના આધારે નિવારણને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશશ્રી જસ્ટિસ એ. વાય. કાગજુ, અને રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાતના નિર્દેશક લેફ્ટનન્ટ કર્નલ કૃષ્ણદીપસિંહ જેઠવા, DLSA વડોદરાના સેક્રેટરી શ્રી વિશાલ ગઢવી અને DSWRO, વડોદરાના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ (ડો.) કમલપ્રીત સાગી સહિત અનેક મહાનુભાવો અને નિવૃત્ત સૈનિકો જોડાયા હતા.
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે
આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત
સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો
સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા
હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી
સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

