દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, 6 દિવસ રહેશે મેઘમહેર
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, 6 દિવસ રહેશે મેઘમહેર
Updated : August 27, 2025 05:42 pm IST
Jitendrasingh rajput
ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં આગામી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
12 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવારે (28 ઑગસ્ટ) મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
29થી 31 ઑગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી 29થી 31 ઑગસ્ટ દરમિયાન મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી, નવસારી, વલસાડ, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે અન્ય વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદની શક્યતા છે.
1-2 સપ્ટેમ્બરની આગાહી
આગામી 1-2 સપ્ટેમ્બરમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 8થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં 1 સપ્ટેમ્બરે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ અને 2 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
