અજીબ કિસ્સો-વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ જીવલેણ બન્યો.
વડોદરામાં ઉંદર કરડવાથી યુવકનું મોત
Updated : July 27, 2025 06:50 pm IST
Jitendrasingh rajput
વડોદરામાં ઉંદર કરડવાના કારણે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા યુવકના મોતનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા 40 વર્ષિય યુવકને ઉંદર કરડતા તે મોઢા અને પગના ભારે ઇજાગ્રસ્ત થયો હતો. ઉંદરે એ હદે કરડી ખાધું હતું કે, યુવકને એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના આઇસીયુમાં દાખલ કરવો પડ્યો હતો. જેમાં ટુંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉંદરનો ત્રાસ જીવલેણ થતા સુધી વધી ગયો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.
વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ જીવલેણ બન્યો છે. તાજેતરમાં સલાટવાડામાં રહેતા 40 વર્ષિય યુવક સંદીપ મોરેના ઘરે ઉંદર કરડ્યો હતો. ઉંદર કરડતા યુવકના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને ઘણું લોહી વહ્યું હતું. આ ઘટનામાં યુવક બેભાન થતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં આ યુવકને ઇમરજન્સી વિભાગના આઇસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
સારવાર માટે દાખલ થયાના બીજા દિવસે ફરજ પરના હાજર તબિબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉંદરોનો જીવલેણ ત્રાસ ઉજાગર થવા પામ્યો છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને કારેલીબાગ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં ઉંદરના કરડવાના કારણે બીજા કોઇનો જીવ ના જાય તે માટે તંત્ર શું પ્રયાસો કરે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
