ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ખાસ સમીક્ષા બેઠક યોજાઈ
Updated : July 08, 2025 10:24 pm IST
Bhagesh pawar
હર્ષ સંઘવી દ્વારા એનડીપીએસ નાં કેસોમાં અગાઉના વર્ષની સરખામણીમાં બમણાથી વધુ કેસો નોંધવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા.
મંત્રી દ્વારા ગુજરાત સીટીઓસી હેઠળ માત્ર પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસો નોંધવા અને ૭૭ આરોપીઓ સામે કડક કેસો નોંધવાની પ્રશંસા કરવામાં આવી.
અસામાજિક તત્વો સામે કરવામાં આવેલ કાર્ય ઐતિહાસિક: આવા તત્વો સામે કડકથી કડક કાર્યવાહી કરવા માટે ખાસ વ્યૂહરચના બનાવવાના નિર્દેશ
ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી કે વ્યાજખોરો સામે ફરિયાદ લઈને આવનારા અરજદારની વાત સંવેદનશીલતાથી સાંભળો અને તેની સમસ્યાનું સમાધાન કરો
હની ટ્રેપ જેવા ગુનાઓમાં પણ કડકથી કડક કાર્યવાહી કરવાના નિર્દેશ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ખાસ સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના મુખ્ય સચિવ નિપુણ વત્સ, તમામ પોલીસ કમિશનર અને તમામ રેન્જ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં ગુજરાત પોલીસ દ્વારા નોંધાયેલા એનડીપીએસ કેસોમાં અગાઉના કેસોની સરખામણીમાં બમણી વૃદ્ધિ થવા પર ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા. તેમણે સ્થાનિક પોલીસને પણ એનડીપીએસ કેસો નોંધવા સૂચના આપી.
આ ઉપરાંત, ડ્રગ માફિયાઓ સામે માત્ર ૧૫ દિવસમાં સૌથી વધુ ૧૭ પીઆઈટી એનડીપીએસ કેસો નોંધવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વધુમાં વધુ કેસો નોંધવા સૂચના આપવામાં આવી. ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કરવામાં આવેલ કાર્યવાહી બદલ પણ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા. તેમજ રાજ્યમાં ગુજસીટીઓસી હેઠળ કરવામાં આવેલ ગહન કાર્યવાહીની પણ પ્રશંસા કરવામાં આવી. ગુજસીટીઓસી હેઠળ પાંચ મહિનામાં સૌથી વધુ ૮ કેસો નોંધવામાં આવ્યા છે અને ૭૭ આરોપીઓ સામે કેસો નોંધવામાં આવ્યા છે.
રાજ્યમાં અસામાજિક તત્વો સામે કરવામાં આવેલ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. તેમણે અસામાજિક તત્વો સામે કરવામાં આવેલ ઐતિહાસિક કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે એક ખાસ વ્યૂહરચના બનાવવાના નિર્દેશ આપ્યા હતા.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
