માનવ તસ્કરી અને બાળ મજૂરી સામે કડક ઝુંબેશ; ગુજરાતમાં મહિલા સુરક્ષાના રખેવાળ: એડીજીપી અજય ચૌધરીની IIT ગ્રેજ્યુએટથી IPS અને જાણીતા લેખક સુધીની અદભૂત સફરની કહાની!
Updated : February 09, 2026 06:13 pm IST
Bhagesh pawarસમગ્ર દેશમાં ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની ચર્ચા થાય છે. મહિલા સશક્તિકરણ અને સુરક્ષા બંને ગુજરાત મોડલના અત્યંત મહત્વના બિંદુઓ રહ્યા છે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આજકાલ ગુજરાત પોલીસ દ્વારા અનેક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં ઝડપી ચાર્જશીટ દાખલ કરવી જેવા પગલાં સામેલ છે. ગુજરાત પોલીસમાં એડીજીપી વુમન સેલ તરીકે જવાબદારી સંભાળતા આઈપીએસ અજય ચૌધરીએ સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે મળીને એક મોટું અભિયાન ચલાવ્યું છે.આ અભિયાન હેઠળ વડોદરા અને પાટણ સહિત રાજ્યમાં બાળ મજૂરીના છ કિસ્સાઓ પકડાયા હતા. ગુજરાત પોલીસના વુમન ક્રાઈમ સેલ દ્વારા ચલાવવામાં આવેલ અભિયાન દરમિયાન દરોડા પાડીને બાળકો અને મહિલાઓને મુક્ત કરાવ્યા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરી.
IPS Ajay Chaudhary કોણ છે..?
૨ ફેબ્રુઆરી, ૧૯૭૫ના રોજ જન્મેલા અજય ચૌધરી મૂળ બિહાર અને હાલ ઝારખંડ ના રહેવાસી છે.થોડા દિવસ અગાઉજ પોતાનો ૫૦મો જન્મદિવસ ઉજવનાર અજય ચૌધરીએ સિવિલમાં બી.ટેક.ની ડિગ્રી લીધી છે. તેઓ ૧૯૯૯ બેચના આઈપીએસ અધિકારી છે. ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવ્યા બાદ પણ તેઓ પોતાની જમીન સાથે જોડાયેલા છે. તેઓ ગુજરાતમાં રહીને પણ બિહારના તહેવારો તેટલા જ ગૌરવથી ઉજવે છે જેટલા ગુજરાતના નવરાત્રિ પર્વને ઉજવે છે. અજય ચૌધરી અત્યાર સુધી અનેક પુસ્તકો લખી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે ‘ધ એઆઈ એડવાન્ટેજ’ (The AI Advantage) નામનું પુસ્તક લખ્યું છે, જે આધુનિક યુગમાં નવી ટેકનોલોજી વિશે માહિતી આપે છે. તેમનું કહેવું છે કે AI ટેકનોલોજીથી ઊભા થનારા નવા અવસરો અને પડકારોને સમજવામાં આ પુસ્તક ઘણું કામ આવશે. આઈઆઈટી ગ્રેજ્યુએટ અજય ચૌધરી ખૂબ જ સંવેદનશીલ પોલીસ અધિકારી છે અને તેઓ પેઈન્ટિંગનો શોખ પણ રાખે છે.
ઝીરો ટોલરન્સની નીતિ પર કામ...
તેઓ કહે છે કે તેમની પ્રાથમિકતા ગુનાઓને રોકવાની હોય છે, અને જો કોઈ ગુનો બને તો તેની યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. આ સાથે પીડિતને જરૂરી મદદ પણ પૂરી પાડવામાં આવે છે. તેમણે કહ્યું કે ગુજરાત પોલીસની મહિલા હેલ્પલાઇન અને SHE ટીમો ખૂબ જ સારું કામ કરી રહી છે. આ સાથે ગુજરાત પોલીસ માનવ તસ્કરી સાથે જોડાયેલા સંગઠિત નેટવર્કને તોડવા માટે પૂરી તાકાત લગાવી રહી છે. બાળ મજૂરી પર સંપૂર્ણ રોક અને સગીરો તથા મહિલાઓને સુરક્ષિત જીવન આપવું એ જ ગુજરાત પોલીસની પ્રાથમિકતા છે. ચૌધરી કહે છે કે આ જ ડીજીપી ડો. કે. એલ. એન. રાવ અને રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે. તાજેતરમાં સર્વે દ્વારા સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરીને વ્યૂહરચના બનાવવામાં આવી છે. તમામ જિલ્લાઓના સંકલનથી મહિલા અને બાળકોની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે નવરાત્રિ અને ગણેશ પંડાલોનો ઉપયોગ કરીને મહિલા સુરક્ષાની જાગૃતિ વધારવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, હેલ્પલાઇન નંબર પ્રદર્શિત કરાયા હતા જેથી મહિલાઓ નિઃસંકોચ કોલ કરી શકે.
તેમની આ સફળતાનો શ્રેય માતાને આપે છે...
ગુજરાતમાં એડીજીપી તરીકે ફરજ બજાવતા અજય ચૌધરી પોતાની જિંદગીમાં માતાનો સૌથી વધુ આશીર્વાદ રહ્યો છે તેમ તેમનું માનવું છે. ચૌધરી કહે છે કે તેમને ભણાવવા-ગણાવવા માટે તેમની માતાએ ખૂબ જ મહેનત કરી.માતાના પ્રોત્સાહનથી અને આશીર્વાદથીજ તેઓ UPSC ની પરીક્ષા પાસ કરીને IPS બન્યા. આ પહેલા તેમણે IIT માંથી અભ્યાસ કર્યો હતો. અત્યંત શાંત અને સરળ સ્વભાવ ધરાવતા આઈપીએસ અધિકારી અજય ચૌધરી ખૂબ જ ક્રિએટિવ છે. તેઓ ડ્યુટીમાંથી બચેલા સમયને વાંચવા-લખવા અને સર્જનાત્મક કાર્યોમાં વિતાવે છે. અજય ચૌધરીએ પોતાના લેખન કાર્યને કારણે બોલિવૂડ અને હોલિવૂડ સુધી પહોંચ બનાવી ચૂક્યા છે. હાલમાં તેઓ એડિશનલ ડીજીપી વુમન સેલ, ગાંધીનગરના વડા છે અને સીધા ડીજીપી ડો. કે. એલ. એન. રાવને રિપોર્ટ કરે છે. આ પહેલા તેઓ અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચની જવાબદારી સંભાળતા હતા.
અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?
વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન
કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ
મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

