Monday, March 2, 2026 5:10 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરાની છાત્રાની અનોખી દેશ ભક્તિ; વિધિ જાદવે શહીદ જવાનોના પરિવારોને પોતાની બચતમાંથી ₹ ૫૦ હજારની આર્થિક સહાય કરી

    Updated : January 30, 2026 06:50 pm IST

    Bhagesh pawar
    વડોદરાની છાત્રાની અનોખી દેશ ભક્તિ; વિધિ જાદવે શહીદ જવાનોના પરિવારોને પોતાની બચતમાંથી ₹ ૫૦ હજારની આર્થિક સહાય કરી

    વડોદરા શહેરમાં રહેતી એક છાત્રાને ભારતીય સેનાના સૈનિકો પ્રત્યે અનોખો ભાવ છે. વિધિ જાદવ નામક વિધાર્થીની પ્રસંગોપાત પોતાના પોકેટ મની, લોક સહયોગથી શહિદ સૈનિકોના પરિવારોને મદદ કરતી રહે છે. વિધિ જાદવે હાલમાં જ જમ્મુ કાશ્મીરના ડોડા ખાતે માર્ગ અકસ્માતમાં શહિદ પામેલા ૧૦ સૈનિકોના પરિવારોને ₹ ૫૦ હજારની સહાય મોકલી છે. હાલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આ સહાય પોતાની અંગત બચતમાંથી મોકલી છે.



    ૨૩ જાન્યુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ચંબા આંતરરાજ્ય માર્ગ પર ૯૦૦૦ ફૂટ ઊંચા પહાડી વિસ્તાર પર આંતકવાદી વિરોધી કાર્યવાહી માટે આપણાં દેશની સેનાનું એક વાહન જઈ રહ્યું હતું જે ઊંડી ખીણમાં પડી જતા દેશના ૧૦ વીર સૈનિકો શહીદ થયાં હતા. આ શહીદ થયેલા જવાનો ના તમામ પરિવારોને વિધિ જાદવે સાંત્વના પાઠવતો પત્ર તેમજ આ દરેક શહીદ પરિવારને ₹ ૫૦૦૦ મોકલી આપ્યા છે.


    ૩૦ જાન્યુઆરી એટલે દેશભરમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ એટલે માત્ર ઉજવણી માટે નહીં પરંતુ દેશભક્તિ અને બલિદાનના સર્વોચ્ચ આદર્શોને નમન કરવાનો અવસર, આપણાં દેશના વીર શહીદોની બહાદુરી અને બલિદાનને સલામ કરવાનો અવસર છે જે આ વિધિ જાદવે ખરા અર્થમાં ચરિતાર્થ કરીને આપણા દેશના શહીદો અને તેમના પરિવારજનોને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2026 Yug Abhiyaan Times. All Rights Reserved.