ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..
Updated : August 26, 2025 11:28 pm IST
Bhagesh pawar
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મંત્રીમંડળના વિસ્તરણ માટેની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.
આ નિર્ણય મંત્રીઓના રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે. જે મંત્રીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી, તેમને પડતા મુકવામાં આવશે, જ્યારે લગભગ 10 જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ નવા ચહેરાઓમાં અમરેલી, જૂનાગઢ, વડોદરા, ખેડા, અથવા આણંદ જેવા જિલ્લાના ધારાસભ્યોનો સમાવેશ થઈ શકે તેવી શક્યતાઓ છે.
મળતી માહિતી મુજબ, મંત્રીમંડળના સભ્યોના પર્ફોમન્સના આધારે તેમના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ કાર્ડના પરિણામોના આધારે, 4 થી 5 વર્તમાન મંત્રીઓને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારની કાર્યક્ષમતા વધારવાનો અને પ્રજાના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉકેલવાનો છે. તેમજ આ વિસ્તરણથી પ્રાદેશિક સંતુલન જાળવવાનો અને વિવિધ સમાજને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. સોમવારે રાત્રે કેટલાક મંત્રીઓની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પણ થઈ હોવાનું કહેવાય છે, જેના કારણે આ વિસ્તરણની અટકળો વધુ મજબૂત બની છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
