Monday, August 18, 2025 9:15 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 17 નિર્દોષ મોતના જવાબદાર 4 આધિકારીઓ સસ્પેન્ડ, CM ભુપેન્દ્ર પટેલે લીધો નિર્ણય

    મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા

    Updated : July 10, 2025 07:26 pm IST

    Jitu rajput
    ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 17 નિર્દોષ મોતના જવાબદાર 4 આધિકારીઓ સસ્પેન્ડ, CM ભુપેન્દ્ર પટેલે લીધો નિર્ણય

    ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 17 નિર્દોષ મોતના જવાબદાર 4 આધિકારીઓ સસ્પેન્ડ, CM ભુપેન્દ્ર પટેલે લીધો નિર્ણય.

    વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.



    મુખ્યમંત્રીશ્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.


    નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ  એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા  જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 17 નિર્દોષ મોતના જવાબદાર 4 આધિકારીઓ સસ્પેન્ડ, CM ભુપેન્દ્ર પટેલે લીધો નિર્ણય | Yug Abhiyaan Times