શિવા ફાર્મા બ્લાસ્ટ કેસમાં કામદારોના પરિવારજનોએ એચઆર કર્મચારી સાથે કર્યો ટપલીદાવ...
Updated : July 27, 2025 04:05 pm IST
Sushil pardeshi
શનિવારે રાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શિફ્ટ માં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ અર્જુન પરબતભાઈ પટેલ, પ્રવીણ મનસુખભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટના દરમિયાન વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં ત્રણે કામદારના પરિવારજનો નું ટોળું ઉંમટયું હતું. જ્યાં બંને મૃતક કામદારે ના મૃતદેહ હોસ્પિટલના પાર્કિંગમાં ખુલ્લા મૂકી રખાયા હતા. કલાકો સુધી પાર્કિંગ સ્પેસમાં ખુલ્લામાં મૂકી રખાતા પરિવારજનોમાં રોષ ફાટ્યો હતો. સાથે જ કંપનીમાંથી કોઈ પણ ઉચ્ચ અધિકારી હોસ્પિટલ નહીં આવતા લોકોમાં રોષ હતો. સ્થળ પર હાજર કંપનીના એચ આર વિભાગના બે કર્મચારીઓ ને પૂછાતા તે લોકો પણ ગલ્લા તલ્લા કરતા હોય આ કામદારોના પરિવારજનો રોષે ભરાયાં હતા. અને એક એચ આર કર્મચારીને ટપલી દાવ કર્યો હતો. જેને લઈને હોસ્પિટલના પ્રાંગણનો માહોલ પણ ગરમાયો હતો. જે અંગે જાણ થતા હોસ્પિટલના કર્મચારીઓ એ યુનિટ મેનેજર સાથે ફોન પર વાત કરી તેઓને હોસ્પિટલ આવવા વિનંતી કરી હતી.
આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે કરોડો રૂપિયાનો નફો રડતી આ શિવા ફાર્મા કંપની ના સંચાલકો ની માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
