logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ

    Updated : April 01, 2026 10:05 pm IST

    Bhagesh pawar
    ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતના દિવસે જ ગૃહ વિભાગે એક મહત્વનો આદેશ બહાર પાડ્યો છે. તા. 01/04/2026 ના આદેશમાં કુલ 35 અધિકારીઓને તાત્કાલિક અસરથી વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. કાગળ પર આ નિર્ણય જાહેર હિતમાં રજૂ કરવામાં આવ્યો છે.


    પરંતુ આ આદેશને જો આપણે માત્ર કાગળ તરીકે નહીં, પરંતુ મેદાનની હકીકત તરીકે વાંચીએ તો એક અલગ જ ચિત્ર સામે આવે છે. PDFમાં દર્શાવાયેલા હાલના પોસ્ટિંગ અને વધારાના ચાર્જના સ્થળો વચ્ચેનું અંતર માપીએ તો સ્પષ્ટ થાય છે કે ઘણા અધિકારીઓને પોતાના કાર્યસ્થળથી 10, 20, 50 કે 100 કિમી નહીં, પરંતુ 200થી 400 કિમી સુધી દૂર જવાબદારી સોંપવામાં આવી છે.


    આ લિસ્ટમાં કેટલાક નામો વધુ ધ્યાન ખેંચે છે:


    વિરલ ચંદન — રાજપીપળાથી સાવરકુંડલા : અંદાજે 320 કિમી

    વિસ્મય મંસેટા — ખંભાળિયાથી લાઠી: અંદાજે 230 કિમી

    વિશ્વા શાહ — ગાંધીનગરથી ભુજ : અંદાજે 380 કિમી મનિષા દેસાઈ — બોટાદથી નલિયા: અંદાજે 430 કિમી

    હર્ષા ચૌધરી — ગાંધીનગરથી વડોદરા ગ્રામ્ય : અંદાજે 110 કિમી

    ચિંતન પટેલ— રાજકોટ શહેરથી બારવલ બોટાદ : અંદાજે 176 કિમી

    રિદ્ધિ ગુપ્તે — આણંદથી સંતરામપુર : અંદાજે 140 કિમી

    મિત્તલ સાકરીયા — વડોદરાથી લીમખેડા: અંદાજે 150 કિમી

    મિલન મોદી — વડોદરા ગ્રામ્યથી સુરત શહેર: અંદાજે 150 કિમી

    પાર્થ ચોવટીયા — આણંદથી સુરત શહેર: અંદાજે 200 કિમી

    ડી વી ડોડીયા — બનાસકાંઠાથી ગાંધીનગર : અંદાજે 180 કિમી


    આ બધા નામો અને પોસ્ટિંગ લીસ્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે.

    અહીં પ્રશ્ન માત્ર અંતરનો નથી. પ્રશ્ન એ છે કે એક અધિકારી, જે પહેલેથી જ પોતાના મૂળ કાર્યસ્થળ પર જવાબદારી સંભાળી રહ્યો છે, તે હવે આટલા લાંબા અંતરે બીજા ક્ષેત્રની જવાબદારી કેવી રીતે અસરકારક રીતે સંભાળશે?


    ચૂંટણી સમયગાળો સામાન્ય દિવસોથી અલગ હોય છે. તેમાં પોલીસિંગ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવા પૂરતી નથી રહેતી, પરંતુ સતત મોનીટરીંગ, ફિલ્ડ પ્રેઝન્સ અને ઝડપી નિર્ણય લેવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જ્યારે અધિકારીને બે અલગ વિસ્તારો વચ્ચે સતત મુસાફરી કરવી પડે, ત્યારે તેની કાર્યક્ષમતા પર સીધી અસર થવાની શક્યતા છે.


    આ નિર્ણય પાછળનું કારણ પણ સ્પષ્ટ છે. ચૂંટણી પહેલા ઘણા પદો ખાલી હતા. સરકારે આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે વધારાના ચાર્જનો રસ્તો અપનાવ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ “વ્યવસ્થા” લાંબા ગાળે કાર્યક્ષમ બની શકે? આ ઉપરાંત પણ આ લીસ્ટમાં બીજી ઘણી કહાનીઓ સ્પષ્ટ થઈ રહી છે. જે લિસ્ટ જોતા જ તમારી નજરે પડે તેમ છે. તેથી આ લિસ્ટને સમય લઈને શાંતિથી જોશો.


    મેદાન પર આ નિર્ણયનો અર્થ છે — ડબલ જવાબદારી, વધતી મુસાફરી, સ્થાનિક પરિસ્થિતિને સમજવામાં લાગતો સમય અને તેના કારણે નિર્ણય લેવામાં થતી મોડાશ.


    ગૃહ વિભાગે કાગળ પર ખાલી જગ્યાઓ પૂરી કરી છે. હવે નજર મેદાન પર રહેશે — જ્યાં આ 100થી 400 કિલોમીટર વચ્ચેની દૂરી, માત્ર નકશામાં નહીં પરંતુ વાસ્તવિક પોલીસિં

    ગમાં કેવી રીતે અસર કરે છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2026 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ | Yug Abhiyaan Times