રડાવી દેશે તમને રક્ષાબંધનના આ દ્રશ્યો..
વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની અશ્રુભીની ઉજવણી..
Updated : August 09, 2025 11:53 am IST
Sushil pardeshi
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનનું હિંદુ ધર્મમાં ખાસ મહત્ત્વ રહેલું છે. આ તહેવાર ભાઈ- બહેનોના પ્રેમનું પ્રતિક છે. ત્યારે આજે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. તો બીજી તરફ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ, સુરત લાજપોર મધ્યસ્થ જેલ, રાજકોટ મધ્યસ્થ જેલ અને વડોદરા મધ્યસ્થ જેલમાં ભાઈ બેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધતા જેલોમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની અશ્રુભીની ઉજવણી..
વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. જ્યાં જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા માટે વહેલી સવારથી બહેનો જેલ ખાતે આવી પહોંચી હતી. જેલમાં સજા કાપી રહેલ પોતાના વ્હાલસોયા ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી. આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે 1000 થી વધુ કેદી ઓને તેમની બહેનો એ બાંધી હતી. કર્મ સંજોગે જેલમાં આવેલા ભાઈની કલાઈ પર રાખડી બાંધતી વખતે આસુઓ થી આંખો છલકાતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
આમ તો રક્ષાબંધન નો ત્યોહાર હિન્દૂ ધર્મના લોકો માનવતા હોય છે. વડોદરા મધ્યસ્થ જેલમાં એક મુસ્લિમ બહેન તેના ભાઈને રાખડી બાંધવા પહોંચી હતી. અને ભીની આંખો લઇ તેના ભાઈના કલાઈ પર રાખડી બાંધી ભાઈ બહેન ના પવિત્ર સબંધ નાત જાત ધર્મથી ઉપર હોવાનું પુરવાર કર્યું છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. જેલમાં બંદીવાન કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષોથી જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ પર પહોંચી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
