૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ : ત્રિમંદિરના સાંનિધ્યમાં અઢી હજાર જેટલા લોકો કરશે સામૂહિક યોગાભ્યાસ
વડોદરા જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વરણામા ખાતે યોજાશે.
Updated : June 20, 2025 04:42 pm IST
Bhagesh Pawar
વડોદરા, ભાગેશ પવાર
વડોદરા જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા સહિત વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ સ્થળો ઉપર સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા સહિત વિવિધ સ્થળોએ આયોજિત ઉજવણીમાં યોગાભ્યાસુઓ સહભાગી થઈ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગિક ક્રિયાઓ દૈનિક કરી પોતાનું જીવન નિરામય બનાવે તેવો સંદેશો આપશે.
સમૂહ માધ્યમો સાથે વાતચીત કરતા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ હેઠળ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વરણામા ખાતે યોજાશે, જેમાં અઢી હજારથી વધુ લોકો સહભાગી થશે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા સહિત પૌરાણિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત શાળા-કોલેજો, સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ સ્વૈચ્છિક સંગઠનો અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી સામૂહિક યોગાભ્યાસ થશે.
આ યોગ દિવસની ઉજવણીમાં વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ સહભાગી થઈ છે. ખાસ કરીને યોગિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓના યોગ પ્રશિક્ષકો દ્વારા ગામે ગામ યોગાભ્યાસ થશે.
કલેક્ટર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન વિદ્યા યોગ નિરોગ શરીર, ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉર્જા પ્રાપ્તિનો અક્ષય સ્ત્રોત છે. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અંતર્ગત વડોદરામાં થનાર યોગ દિવસની ઉજવણીમાં યોગાભ્યાસ નિત્યક્રમ બને તેમજ લોકો યોગનું મહત્વ સમજે તે માટે નાગરિકો સ્વયંભૂ યોગ દિનની ઉજવણીમાં સહભાગી થાય તેવી તેમણે અપીલ કરી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
