Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

    Updated : August 02, 2025 10:47 pm IST

    Bhagesh pawar
    આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

    તેંડુલકર - એન્ડરસન ટ્રોફી શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડના ઓવલ મેદાને રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસના અંતિમ સેશનમાં ભારતે ઇંગ્લેન્ડ ટીમને 374 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 396 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે સદી ફટકારી 118 રન બનાવ્યા, તેમજ રવિન્દ્ર જાડેજા, આકાશદીપ અને વોશિંગ્ટન સુંદર અર્ધ સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે 5 વિકેટ ઝડપી હતી. 


    શતકવીર યશસ્વી જયસ્વાલ 


    આ અગાઉ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત 224 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં ભારત તરફથી ફક્ત કરુણ નાયરે અર્ધસદી બનાવી હતી. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ગુસ અટ્કિન્શને સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમે 23 રનની લીડ મેળવીને 247 રન ઉપર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જેમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના 4-4 વિકેટો મેળવવામાં સફળ રહ્યા હતા. 


    આખરી ટેસ્ટ મેચમાં હજી પણ બે દિવસની રમત બાકી છે અને બંને ટીમો મેચ જીતવા માટેના પ્રયાસો કરી રહી છે. પાંચ મેચોની આ ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ની ટીમ 2-1 થી આગળ છે. જો આ મેચ ભારત જીતે તો શ્રેણી 2-2 થી બરાબરી પર રહેશે. પરંતુ જો આ મેચ ઇંગ્લેન્ડ જીત્યું કે પછી મેચનું પરિણામ ડ્રો રહ્યું તો ઇંગ્લેન્ડ ટીમનો તેંડુલકર - એન્ડરસન ટ્રોફી પર કબજો થશે. જોવાનું રહેશે કે મેચનો ચોથો દિવસ ઇંગ્લેન્ડના બેટ્સમેનો માટે સારો રહેશે કે ભારતીય બોલર્સ માટે..

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.