ભારત - ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ મેચ ડ્રો : એક જ ઇનિંગમાં 3 સદી
Updated : July 27, 2025 10:45 pm IST
Bhagesh pawar
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. જેમાં ભારત તરફથી એક જ ઇનિંગમાં ત્રણ સદી નોંધાઈ હતી. મેચની ત્રીજીમાં બેટિંગ કરવા આવેલ ભારતીય ટીમે શૂન્ય રન પર બે વિકેટો ગુમાવી હતી. યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન શૂન્ય પર આઉટ થયા હતા. અને જે કારણે ભારતીય બેટ્સમેનો ઉપર મેચ હારવાનું દબાણ આવ્યું હતું. પરંતુ ભારતીય ટીમ આ મેચને ડ્રો કરવા સફળ રહી હતી. ભારતીય ટીમ તરફથી લોકેશ રાહુલે 90 રન, કપ્તાન સુભમન ગિલે 103, વોશિંગ્ટન સુંદરે 101 અને રવિન્દ્ર જાડેજાએ 107 રન બનાવ્યા હતા. આમ એક જ એક જ ઇનિંગમાં ત્રણ સદી નોંધાઈ હતી.
ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ટેસ્ટ મેચોમાં પ્રથમ વખત સદી બનાવી છે ત્યારે રવિન્દ્ર જાડેજા એ પાંચમી વખત સદી ફટકારી હતી. બંને ઓલ રાઉન્ડર્સ ના આ પર્ફોર્મન્સ ને કારણે ઇંગ્લેન્ડની ટીમ દ્વારા વારંવાર મેચને વહેલી સમાપ્ત કરવા ના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. બંને ઓલ રાઉન્ડર્સ ની સેન્ચ્યુરી બનવાની બાકી હતી અને આ મેચ ડ્રો થવાની છે તે સૌ ખેલાડીઓને ખ્યાલ હતો જેથી બંને ઓલ રાઉન્ડર્સે સદી પુર્ણ કર્યા બાદ જ મેચને સમાપ્ત કરી હતી.
મેચની ત્રીજી ઇનિંગમાં શૂન્ય રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ લોકેશ રાહુલ અને શુભમન ગિલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 188 રનોની ભાગીદારી થઈ હતી અને આ બંને બેટ્સમેનો આઉટ થયા બાદ ફરી એકવાર ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી પરંતુ બંને ઓલ રાઉન્ડર્સ રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પાંચમી વિકેટ માટે 203 રનોની ભવ્ય ભાગીદારી નોંધાવીને આ મેચને ડ્રો કરાવી હતી.
આ અગાઉ પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 358 નાં સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી, જેમાં કપ્તાન બેન સ્ટોક્સ 5 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 669 રન બનાવીને મેચમાં 311 રનોની લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડ તરફથી કપ્તાન બેન સ્ટોક્સ અને જો રૂટે સદી ફટકારી હતી. તેમજ રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ પણ મેળવી હતી.
આ મેચમાં ઉત્કૃષ્ટ પર્ફોમન્સ માટે ઇંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચ નો એવોર્ડ મળ્યો છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

પાકિસ્તાન સાથે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં રમવા માટે મુક્ત: રમતગમત મંત્રાલય

રોહિત શર્મા સપ્ટેમ્બરના અંતમાં ઇન્ડિયા A ની વનડે મેચો માટે વાપસી કરી શકે છે

રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
