કરો યા મરો ની સ્થિતિ : માન્ચેસ્ટરમાં એક પણ ટેસ્ટ મેચ નથી જીત્યું ભારત
Updated : July 20, 2025 02:35 pm IST
Bhagesh pawarભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 જુલાઈથી શરૂ થશે. આ મેચ માન્ચેસ્ટર નાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. આ મુકાબલો ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
ભારતીય ટીમ માટે કરો યા મરો ની સ્થિતિ
અત્યાર સુધીમાં રમાયેલ ત્રણ મેચોમાં ઇંગ્લેન્ડ બે મેચ અને ભારત એક મેચ જીત્યું છે. આ શ્રેણી જીતવા માટે બાકી રહેલ બંને મેચોમાં ભારતીય ટીમે જીતવું જરૂરી છે. 23 જુલાઈ થી શરૂ થનારી ટેસ્ટ મેચમાં જો ભારતીય ટીમનો પરાજય થશે તો એન્ડરસન તેંડુલકર ટ્રોફી પર ઇંગ્લેન્ડ ટીમનો કબજો થશે. જેથી આગામી રમાનાર મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો ની સ્થિતિ સમાન રહેશે.

ભારત એક પણ મેચ નથી જીત્યું
અત્યાર સુધી માન્ચેસ્ટર નાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત 9 ટેસ્ટ મેચો રમી ચૂક્યું છે અને એક પણ મેચ જીતી શક્યું નથી. એનો સીધો મતલબ છે કે આ મેચ માં જીત મેળવીને ભારતીય ટીમ માન્ચેસ્ટર નાં મેદાન નો અત્યાર સુધીનો રેકોર્ડ બદલી શકે છે. યુવા કપ્તાન સુભમન ગીલની આગેવાનીમાં ભારતીય ટીમ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. અત્યાર સુધીની આ શ્રેણીમાં હારેલ બંને મેચોમાં ભારતીય ટીમ જીત મેળવી શકતી હતી પરંતુ અમુક ભૂલોને કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
માન્ચેસ્ટરમાં ભારતનો રેકોર્ડ
વર્ષ - પરિણામ
1936 - ડ્રો
1946 - ડ્રો
1952 - હાર
1959 - હાર
1971 - ડ્રો
1974 - હાર
1982 - ડ્રો
1990 - ડ્રો
2014 - હાર
2025 - ??
અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?
વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન
કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ
મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

