કરો યા મરો ની સ્થિતિ : માન્ચેસ્ટરમાં એક પણ ટેસ્ટ મેચ નથી જીત્યું ભારત
Updated : July 20, 2025 02:35 pm IST
Bhagesh pawar
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 જુલાઈથી શરૂ થશે. આ મેચ માન્ચેસ્ટર નાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. આ મુકાબલો ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
ભારતીય ટીમ માટે કરો યા મરો ની સ્થિતિ
અત્યાર સુધીમાં રમાયેલ ત્રણ મેચોમાં ઇંગ્લેન્ડ બે મેચ અને ભારત એક મેચ જીત્યું છે. આ શ્રેણી જીતવા માટે બાકી રહેલ બંને મેચોમાં ભારતીય ટીમે જીતવું જરૂરી છે. 23 જુલાઈ થી શરૂ થનારી ટેસ્ટ મેચમાં જો ભારતીય ટીમનો પરાજય થશે તો એન્ડરસન તેંડુલકર ટ્રોફી પર ઇંગ્લેન્ડ ટીમનો કબજો થશે. જેથી આગામી રમાનાર મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો ની સ્થિતિ સમાન રહેશે.
ભારત એક પણ મેચ નથી જીત્યું
અત્યાર સુધી માન્ચેસ્ટર નાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત 9 ટેસ્ટ મેચો રમી ચૂક્યું છે અને એક પણ મેચ જીતી શક્યું નથી. એનો સીધો મતલબ છે કે આ મેચ માં જીત મેળવીને ભારતીય ટીમ માન્ચેસ્ટર નાં મેદાન નો અત્યાર સુધીનો રેકોર્ડ બદલી શકે છે. યુવા કપ્તાન સુભમન ગીલની આગેવાનીમાં ભારતીય ટીમ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. અત્યાર સુધીની આ શ્રેણીમાં હારેલ બંને મેચોમાં ભારતીય ટીમ જીત મેળવી શકતી હતી પરંતુ અમુક ભૂલોને કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
માન્ચેસ્ટરમાં ભારતનો રેકોર્ડ
વર્ષ - પરિણામ
1936 - ડ્રો
1946 - ડ્રો
1952 - હાર
1959 - હાર
1971 - ડ્રો
1974 - હાર
1982 - ડ્રો
1990 - ડ્રો
2014 - હાર
2025 - ??

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

પાકિસ્તાન સાથે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં રમવા માટે મુક્ત: રમતગમત મંત્રાલય

રોહિત શર્મા સપ્ટેમ્બરના અંતમાં ઇન્ડિયા A ની વનડે મેચો માટે વાપસી કરી શકે છે

રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
