ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે લલિત વસોયાનો દસ કરોડનો બદનક્ષીનો દાવો.
ચૂંટણીમાં પૈસાની લેતી દેતી ના ખોટા આક્ષેપો કરી છબી ખરડી નાખવાની કોશિશ કરી હોવાનો આક્ષેપ.
Updated : July 01, 2025 03:29 pm IST
Bhagesh Pawar
વિમલ સોંદરવા, ધોરાજી
તાજેતરમાં વિસાવદર ખાતે યોજાયેલ પેટા ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપના મામલે પૈસાની લેતી દેતીના મામલે આમ આદમી પાર્ટી ના નેતાઓ દ્વારા કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર આર્થિક બાબતોને લઈ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઇ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા સામે 10 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરતા રાજકારણ ગરમાયું છે.
લલિત વસોયાએ પોતાના એડવોકેટ દિનેશભાઈ વોરા મારફતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ગોરધનભાઈ ઇટાલીયા સામે 10 કરોડની બદનક્ષી નો દાવો કરતી નોટિસ પાઠવી હતી.
નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય વસોયા ને વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારક તરીકે જવાબદારી મળી હતી.
જેને લઇ લલિત વસોયા વિસાવદર ખાતેની સાયોના હોટલમાં રોકાયા હતા જેમાં આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આ જ હોટલમાં રોકાયેલ હતા. નોટિસમાં જણાવેલ કે ચૂંટણી દરમિયાન પ્રચાર કાર્ય ચાલતું હોય ત્યારે ચૂંટણી જીતવા માટે ધારાસભ્ય લલિત વસોયા ની છબી ખરડાઈ અને તેમની વ્યક્તિગત નુકસાન થાય તેમની માનહાની થાય તે પ્રકારે સ્ટિંગ ઓપરેશન કરી અન્ય પક્ષના કાર્યકર્તા ને રૂપિયા આપવામાં આવે છે. તેવા ખોટા સ્ટંટ કરી છબી ખરડાઈ તેમજ કોઈ પણ પુરાવા વિના વ્યક્તિ ગત માનહાની અને નુકશાન થયેલ છે.
ચૂંટણી માં કુપ્રચાર કરી છબી ખરડી
પુરાવા ન હોવા છતાં તરકટ ઉભુ કરી પુરાવા વિના સોશિયલ મીડિયા, તેમજ ન્યૂઝ ચેનલ, પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધિ કરાવી નુકશાન પહોંચાડી માનહાની કરવા બદલ દસ કરોડ રૂપિયાનો દાવો કરાયો છે.
નોટિસ બાદ કોર્ટમાં કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવશે.
વર્તમાન ધારાસભ્ય સામે પૂર્વ ધારાસભ્ય એ કરેલા દસ કરોડ ના બદનક્ષી ના દાવાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
