Updated : August 02, 2025 06:35 pm IST
Sushil Pardeshiવડોદરામાં આજનો દિવસ ધાર્મિક ઉલ્લાસ અને સાંસ્કૃતિક શાંતિનું પ્રતિબિંબ બન્યો છે. દશામાઁ માતાજીની પૂજાના દસ દિવસો આજે પૂર્ણ થતા શહેરભરમાં વિભિન્ન વિસ્તારોમાંથી વિસર્જન યાત્રાઓ યોજાશે.
શહેરના નાગરિકોએ દશામાઁ માતાજીના મૂર્તિઓ ઊભી કરીને દરેક દિવસે પૂજા, આરતી અને પ્રસાદ દ્વારા ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને પાંચમ, સાતમ અને દશમ દિવસે વિશેષ ભીડ જોવા મળતી હોય છે. આજે દશમના દિવસે માતા દશામાઁ ના વિસર્જન કાર્યક્રમોનું આયોજન ભરપૂર ભક્તિભાવ સાથે થવા જઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ટ્રેક્ટર, ડોલી, ઘોડા-ગાડી તેમજ ધાર્મિક નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળશે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા અને પોલીસ તંત્રે ટ્રાફિક તથા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે જેથી વિશર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઝોન પ્રમાણે સાત કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. એક જ જગ્યા એ ભારે ભીડ ન થાય અને કુદરતી તળાવોમાં પ્રદુષણ ના થાય તે હેતુથી વડોદરા મહાનગર પાલિકા દ્વારાઆ ખાસ આયોજન કરાયુ છે. આ તમામ કૃત્રિમ તળાવો પર તરવૈયાઓ., પોલીસ બંદોબસ્ત સાથે સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ ની ટીમ પણ તૈનાત રહશે.
ત્યારે પરંપરાગત તહેવારોમાં ભક્તિ અને શિસ્તના સંયોજન સાથે આજે વડોદરાની સંસ્કૃતિ ફરી એક વાર જીવંત થશે.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.