વડોદરામાં આજે દશામાઁ વિસર્જન : ભક્તિભાવ અને ભવ્યતા સાથે પૂજાનાં દસ દિવસ પૂર્ણ
Updated : August 02, 2025 06:35 pm IST
Sushil pardeshi
વડોદરામાં આજનો દિવસ ધાર્મિક ઉલ્લાસ અને સાંસ્કૃતિક શાંતિનું પ્રતિબિંબ બન્યો છે. દશામાઁ માતાજીની પૂજાના દસ દિવસો આજે પૂર્ણ થતા શહેરભરમાં વિભિન્ન વિસ્તારોમાંથી વિસર્જન યાત્રાઓ યોજાશે.
શહેરના નાગરિકોએ દશામાઁ માતાજીના મૂર્તિઓ ઊભી કરીને દરેક દિવસે પૂજા, આરતી અને પ્રસાદ દ્વારા ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને પાંચમ, સાતમ અને દશમ દિવસે વિશેષ ભીડ જોવા મળતી હોય છે. આજે દશમના દિવસે માતા દશામાઁ ના વિસર્જન કાર્યક્રમોનું આયોજન ભરપૂર ભક્તિભાવ સાથે થવા જઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ટ્રેક્ટર, ડોલી, ઘોડા-ગાડી તેમજ ધાર્મિક નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળશે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા અને પોલીસ તંત્રે ટ્રાફિક તથા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે જેથી વિશર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઝોન પ્રમાણે સાત કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. એક જ જગ્યા એ ભારે ભીડ ન થાય અને કુદરતી તળાવોમાં પ્રદુષણ ના થાય તે હેતુથી વડોદરા મહાનગર પાલિકા દ્વારાઆ ખાસ આયોજન કરાયુ છે. આ તમામ કૃત્રિમ તળાવો પર તરવૈયાઓ., પોલીસ બંદોબસ્ત સાથે સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ ની ટીમ પણ તૈનાત રહશે.
ત્યારે પરંપરાગત તહેવારોમાં ભક્તિ અને શિસ્તના સંયોજન સાથે આજે વડોદરાની સંસ્કૃતિ ફરી એક વાર જીવંત થશે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
