Saturday, August 2, 2025 3:45 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણની કામગીરીમાં ગોચાચારીથી હોબાળો, રસ્તા રોકો આંદોલન

    કોંગ્રેસી કાયઁકરોને પોલીસે ડિટેઇન કરતાં હોબાળો, ટ્રાફિકજામ ના દ્રશ્યો જોવા મળ્યા

    Updated : June 30, 2025 04:31 pm IST

    Bhagesh Pawar
    નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણની કામગીરીમાં ગોચાચારીથી હોબાળો, રસ્તા રોકો આંદોલન

    ભરત શાહ, નર્મદા :


    પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિમાં છે. પરંતુ સામાન્ય વરસાદમાં રસ્તા ઉપર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. રસ્તાનું ભારે ધોવાણ થતાં રસ્તાના નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાનો માલસામાનનો વપરાયો હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે. રસ્તામાં પડેલ ખાડામાં વરસાદી પાણી ભરાઇ રહેતા વાહન ચાલકોને ખ્યાલ રહેતો નથી. વાહન ચાલકોની મામુલી ગફલત માં અકસ્માતની ઘટના બને છે. માગઁ-મકાન વિભાગના જવાબદાર અધિકારી પાસે સમારકામની કામગીરી કરવાની ફુરસત નથી. તેવા સંજોગોમાં નેત્રંગ કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસ ના કાયઁકરોએ નેત્રંગ ચાર રસ્તા ઉપર રસ્તામાં પડેલ ખાડાનું સમારકામ અને રસ્તાનું કામ કરનાર એજન્સી અને માગઁ-મકાન વિભાગના અધીકારી સામે પોલીસ ફરીયાદની માંગ સાથે આંદોલન કયુઁ હતું. જેમાં નેત્રંગ ચાર રસ્તા ઉપર ચારેય બાજુ ટ્રાફિકજામ થયો હતો.નેત્રંગ પોલીસે કોંગ્રેસી કાયઁકરોને ટીંગા ટોળી કરીને ડિટેઇન કરતાં આખરે મામલો શાંત પડ્યો હતો.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણની કામગીરીમાં ગોચાચારીથી હોબાળો, રસ્તા રોકો આંદોલન | Yug Abhiyaan Times