નર્મદા જિલ્લામાં ઘર માં કરંટ લાગતા અને ડેમના પાણીમાં ડૂબી જતા બે વ્યક્તિઓ ના મોત
Updated : July 03, 2025 01:21 pm IST
Sushil Pardeshiભરત શાહ, નર્મદા :
નર્મદા જિલ્લામાં ઘરમાં કરંટ લાગવાથી એક વ્યક્તિ નું મોત થયું છે જ્યારે બીજી ઘટના માં પાણી માં ડૂબી જતા બીજા વ્યક્તિ નું મોત થયો હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના જામની ગામમાં બનેલી ઘટના માં સુરેશભાઈ મગનભાઈ વસાવા ઉ.વ. આ.૩૮ રહે.જામની મોટુ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓને શૈલેષભાઈ પ્રભુભાઈ વસાવા નાઓના ઘરમાં ઇલેક્ટ્રીક વાયર તુટેલ હોય જે બાંધવા જતા તેમને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. જ્યારે બીજી ઘટના ગરુડેશ્વર તાલુકા માં બની જેમાં મરનાર દલસુખભાઈ ગોરધનભાઈ વાઘેલા ઉ.વ.આ.૪૨. નાઓ ગઇ તા. ૩૦/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના એક વાગે કોઇને કહ્યા વગર પોતાના ઘરેથી ક્યાક જતા રહેલ ત્યારબાદ તેમની શોધખોળ કરતા ગભાણા બ્રીજ નીચે ડેમના પાણીમા કોઇ કારણસર નદીમાં પડી ડુબી જવાથી મોત થતા પોલીસે નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ એક્શનમાં.. કોને થશે રિપીટ.? કોનું પત્તું કપાશે.?
ભૂક્કા બોલાવશે વરસાદ : ગુજરાતમાં 20 દિવસમાં વરસાદ અને તોફાની પવન : અંબાલાલ પટેલની ચેતવણી
20 દિવસમાં બનાવી દીધી વોન્ટેડ લિસ્ટ, ઈનામ પણ જાહેર, DIG નિર્લિપ્ત રાયના એક્શનથી મચ્યો હડકંપ
ગુજરાત પોલીસના 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ જિલ્લાઓમાં બદલી..
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો સંગ્રામ : આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, કોણ કેટલું દમખમ બતાવશે ? જાણો.
અખબારના ફોટા અને માહિતીથી કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી સ્ક્રેપબુક

