Updated : July 31, 2025 02:40 pm IST
Sushil Pardeshiવિરલ ગોહિલ, ભરૂચ
ભરૂચના ભોલાવ ખાતે આવેલા એસટી ડેપોના વર્કશોપમાં ગુરુવારે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. વર્કશોપના ટાયર ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી. આ વર્કશોપમાં ટાયર સાથે કાટમાળ માં આગ લગતા આગે જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઈને ધુમાડામાં ગોટેગોટા આસમાન સુધી પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, શરૂઆતમાં આગે નવા અને જૂના ટાયરોને ચપેટમાં લીધો હતો, અને ટૂંક સમયમાં જ વર્કશોપનો મોટો ભાગ આગમાં ખાખ થઈ ગયો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ચારથી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. જોકે, અહેવાલ લખાતાં સુધી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી.

મળતી માહિતી માહિતિ મુજબ કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મોટી મત્તા હાની થઈ હોવાની શક્યતા છે. ત્યારે આગના સાચા કારણની તપાસ હાથ ધરાઈ છે. આગ કઈ રીતે લાગી તેની વિગત હજુ બહાર આવી નથી, પરંતુ આગનુ વિકરાળ સ્વરૂપ જોતા લાગી રહ્યું છે કે આ ઘટના એસટી વિભાગ માટે ગંભીર આર્થિક નુકસાન લાવનારી બની શકે છે.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.