ભરૂચ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં લાગી ભીષણ આગ
Updated : July 31, 2025 02:40 pm IST
Sushil pardeshiવિરલ ગોહિલ, ભરૂચ
ભરૂચના ભોલાવ ખાતે આવેલા એસટી ડેપોના વર્કશોપમાં ગુરુવારે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. વર્કશોપના ટાયર ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી. આ વર્કશોપમાં ટાયર સાથે કાટમાળ માં આગ લગતા આગે જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઈને ધુમાડામાં ગોટેગોટા આસમાન સુધી પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, શરૂઆતમાં આગે નવા અને જૂના ટાયરોને ચપેટમાં લીધો હતો, અને ટૂંક સમયમાં જ વર્કશોપનો મોટો ભાગ આગમાં ખાખ થઈ ગયો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ચારથી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. જોકે, અહેવાલ લખાતાં સુધી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી.

મળતી માહિતી માહિતિ મુજબ કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મોટી મત્તા હાની થઈ હોવાની શક્યતા છે. ત્યારે આગના સાચા કારણની તપાસ હાથ ધરાઈ છે. આગ કઈ રીતે લાગી તેની વિગત હજુ બહાર આવી નથી, પરંતુ આગનુ વિકરાળ સ્વરૂપ જોતા લાગી રહ્યું છે કે આ ઘટના એસટી વિભાગ માટે ગંભીર આર્થિક નુકસાન લાવનારી બની શકે છે.
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે
આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત
સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો
સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા
હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી
સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

