વ્યાજખોરો એ અસ્થિર મગજના દીકરાને ત્રણ મહિના સુધી હાઉસ એરેસ્ટ કર્યો.
Updated : July 15, 2025 09:31 pm IST
Bhagesh pawar
જીતેન્દ્ર રાજપુત, વડોદરા
વડોદરાના માંજલપુર વિસ્તાર માં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક અસ્થિર મગજના યુવકને ત્રણ મહિના થી રૂમ માં કેદ રાખવાની ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રમીલાબેન દ્વારા દીકરીના લગ્ન માટે 50000 રૂપિયા વ્યાજે લીધા હતા. અસ્થિર મગજના પુત્રની માતા રમીલા બેન આ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ પણ સમયસર ચૂકવતી હતી. પરંતુ વ્યાજે રૂપિયા આપનાર શારદા બેન દાવા ને સંતોષ નહીં રહેતા તેના દીકરા નરેન્દ્ર દાવા દ્વારા અવાર નવાર આ પીડિત પરિવાર સાથે હેરાન ગતિ પણ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર બાબતે રમીલા બેન અને તેનો પુત્ર પોલીસ માં ફરિયાદ ન કરે તે માટે શારદા બેન દ્વારા અસ્થિર મગજના પુત્રને એક રૂમ માં પૂરી દઈ બહાર થી તાળું મારી દેવાયું હતું. જેને પગલે આ અસ્થિર મગજના પુત્રને છેલ્લા ત્રણ મહિનાથી પોતાનાજ ઘરમાં હાઉસ એરેસ્ટ થવાનો વારો આવ્યો હતો.
આજરોજ સ્થાનિક આગેવાનને જાણ થતા તેમને પોલીસને જાણ કરી હતી. ઘટના ની ગંભીરતા સમજી માંજલપુર પોલીસ દોડી આવી અને પુત્રને મુક્ત કરાવી, માં અને દીકરાને પોલીસ મથકે લઈ જવાયા હતા.
હાલ તો માંજલપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
