Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વ્યાજખોરો એ અસ્થિર મગજના દીકરાને ત્રણ મહિના સુધી હાઉસ એરેસ્ટ કર્યો.

    Updated : July 15, 2025 09:31 pm IST

    Bhagesh pawar
    વ્યાજખોરો એ અસ્થિર મગજના દીકરાને ત્રણ મહિના સુધી હાઉસ એરેસ્ટ કર્યો.

    જીતેન્દ્ર રાજપુત, વડોદરા


    વડોદરાના માંજલપુર વિસ્તાર માં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક અસ્થિર મગજના યુવકને ત્રણ મહિના થી રૂમ માં કેદ રાખવાની ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.


    પ્રાપ્ત વિગતો અનુસાર રમીલાબેન દ્વારા દીકરીના લગ્ન માટે 50000 રૂપિયા વ્યાજે લીધા હતા. અસ્થિર મગજના પુત્રની માતા રમીલા બેન આ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ પણ સમયસર ચૂકવતી હતી. પરંતુ વ્યાજે રૂપિયા આપનાર શારદા બેન દાવા ને સંતોષ નહીં રહેતા તેના દીકરા નરેન્દ્ર દાવા દ્વારા અવાર નવાર આ પીડિત પરિવાર સાથે હેરાન ગતિ પણ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.

    સમગ્ર બાબતે રમીલા બેન અને તેનો પુત્ર પોલીસ માં ફરિયાદ ન કરે તે માટે શારદા બેન દ્વારા અસ્થિર મગજના પુત્રને એક રૂમ માં પૂરી દઈ બહાર થી તાળું મારી દેવાયું હતું. જેને પગલે આ અસ્થિર મગજના પુત્રને છેલ્લા ત્રણ મહિનાથી પોતાનાજ ઘરમાં હાઉસ એરેસ્ટ થવાનો વારો આવ્યો હતો.


    આજરોજ સ્થાનિક આગેવાનને જાણ થતા તેમને પોલીસને જાણ કરી હતી. ઘટના ની ગંભીરતા સમજી માંજલપુર પોલીસ દોડી આવી અને પુત્રને મુક્ત કરાવી, માં અને દીકરાને પોલીસ મથકે લઈ જવાયા હતા.


    હાલ તો માંજલપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે. 


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.