વ્યાજખોરો એ અસ્થિર મગજના દીકરાને ત્રણ મહિના સુધી હાઉસ એરેસ્ટ કર્યો.
Updated : July 15, 2025 09:31 pm IST
Bhagesh pawar
જીતેન્દ્ર રાજપુત, વડોદરા
વડોદરાના માંજલપુર વિસ્તાર માં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક અસ્થિર મગજના યુવકને ત્રણ મહિના થી રૂમ માં કેદ રાખવાની ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રમીલાબેન દ્વારા દીકરીના લગ્ન માટે 50000 રૂપિયા વ્યાજે લીધા હતા. અસ્થિર મગજના પુત્રની માતા રમીલા બેન આ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ પણ સમયસર ચૂકવતી હતી. પરંતુ વ્યાજે રૂપિયા આપનાર શારદા બેન દાવા ને સંતોષ નહીં રહેતા તેના દીકરા નરેન્દ્ર દાવા દ્વારા અવાર નવાર આ પીડિત પરિવાર સાથે હેરાન ગતિ પણ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર બાબતે રમીલા બેન અને તેનો પુત્ર પોલીસ માં ફરિયાદ ન કરે તે માટે શારદા બેન દ્વારા અસ્થિર મગજના પુત્રને એક રૂમ માં પૂરી દઈ બહાર થી તાળું મારી દેવાયું હતું. જેને પગલે આ અસ્થિર મગજના પુત્રને છેલ્લા ત્રણ મહિનાથી પોતાનાજ ઘરમાં હાઉસ એરેસ્ટ થવાનો વારો આવ્યો હતો.
આજરોજ સ્થાનિક આગેવાનને જાણ થતા તેમને પોલીસને જાણ કરી હતી. ઘટના ની ગંભીરતા સમજી માંજલપુર પોલીસ દોડી આવી અને પુત્રને મુક્ત કરાવી, માં અને દીકરાને પોલીસ મથકે લઈ જવાયા હતા.
હાલ તો માંજલપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
