ભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની
ભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની
Updated : August 24, 2025 06:20 pm IST
Jitendrasingh rajputભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની ગઈ છે. દરરોજ ભીડભરી બસોમાં ગામોના વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકી 40 થી 50 કિમીનો પ્રવાસ કરે છે જાણે વિકાસના નામે જિંદગી સાથેનો ખેલ ચાલી રહ્યો હોય! અનિયમિત બસો, ઓછી ફાળવણી અને વધતી ભીડ છતાં વિભાગના અધિકારીઓ ગાઢ અને તંત્ર સુખની ઊંઘમાં છે.
લોકોના જીવ જોખમમાં છે, પણ તંત્રના કાન સુધી કોઈ અવાજ પહોંચતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર થી ભરૂચ જતી બસો જે જંબુસર થી ફૂલ ભરાઈને આવે છે જેથી આમોદ ના મુસાફરોને ભરૂચ સુધી ઉભા ઉભા મુસાફરી કડવી પડે છે. આમોદ થી અભ્યાસ નોકરી ધંધા જવાના સમયે જો બે થી ત્રણ બસની વધારાની ફાળવણી વ્યવસ્થા કરવામાં આવે તો આમોદના લોકોને ભારે હાલાકી માંથી છુટકારો મળી શકે તેમ છે.
જ્યારે ભરૂચ થી આવતી બસોમાં વિદ્યાર્થીઓ મુસાફરો અને નોકરી ધંધે અર્થે જતા લોકો માટે બસોની ફાળવણી ઓછી હોય અને પેસેન્જર ની સંખ્યા વધારે હોય જેથી સાંજના સમયે બે બસ વધારે ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચ ડેપો માંથી અને બાયપાસ થી પણ જંબુસર માટે અલગ બસની ફાળવણી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે..
અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?
વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન
કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ
મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

