Saturday, January 17, 2026 7:01 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની

    ભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની

    Updated : August 24, 2025 06:20 pm IST

    Jitendrasingh rajput
    ભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની

    ભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની ગઈ છે. દરરોજ ભીડભરી બસોમાં ગામોના વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકી 40 થી 50 કિમીનો પ્રવાસ કરે છે જાણે વિકાસના નામે જિંદગી સાથેનો ખેલ ચાલી રહ્યો હોય! અનિયમિત બસો, ઓછી ફાળવણી અને વધતી ભીડ છતાં વિભાગના અધિકારીઓ ગાઢ અને તંત્ર સુખની ઊંઘમાં છે.


    લોકોના જીવ જોખમમાં છે, પણ તંત્રના કાન સુધી કોઈ અવાજ પહોંચતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર થી ભરૂચ જતી બસો જે જંબુસર થી ફૂલ ભરાઈને આવે છે જેથી આમોદ ના મુસાફરોને ભરૂચ સુધી ઉભા ઉભા મુસાફરી કડવી પડે છે. આમોદ થી અભ્યાસ નોકરી ધંધા જવાના સમયે જો બે થી ત્રણ બસની વધારાની ફાળવણી વ્યવસ્થા કરવામાં આવે તો આમોદના લોકોને ભારે હાલાકી માંથી છુટકારો મળી શકે તેમ છે.


    જ્યારે ભરૂચ થી આવતી બસોમાં વિદ્યાર્થીઓ મુસાફરો અને નોકરી ધંધે અર્થે જતા લોકો માટે બસોની ફાળવણી ઓછી હોય અને પેસેન્જર ની સંખ્યા વધારે હોય જેથી સાંજના સમયે બે બસ વધારે ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચ ડેપો માંથી અને બાયપાસ થી પણ જંબુસર માટે અલગ બસની ફાળવણી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે..

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2026 Yug Abhiyaan Times. All Rights Reserved.