ભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની
ભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની
Updated : August 24, 2025 06:20 pm IST
Jitendrasingh rajputભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની ગઈ છે. દરરોજ ભીડભરી બસોમાં ગામોના વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકી 40 થી 50 કિમીનો પ્રવાસ કરે છે જાણે વિકાસના નામે જિંદગી સાથેનો ખેલ ચાલી રહ્યો હોય! અનિયમિત બસો, ઓછી ફાળવણી અને વધતી ભીડ છતાં વિભાગના અધિકારીઓ ગાઢ અને તંત્ર સુખની ઊંઘમાં છે.
લોકોના જીવ જોખમમાં છે, પણ તંત્રના કાન સુધી કોઈ અવાજ પહોંચતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર થી ભરૂચ જતી બસો જે જંબુસર થી ફૂલ ભરાઈને આવે છે જેથી આમોદ ના મુસાફરોને ભરૂચ સુધી ઉભા ઉભા મુસાફરી કડવી પડે છે. આમોદ થી અભ્યાસ નોકરી ધંધા જવાના સમયે જો બે થી ત્રણ બસની વધારાની ફાળવણી વ્યવસ્થા કરવામાં આવે તો આમોદના લોકોને ભારે હાલાકી માંથી છુટકારો મળી શકે તેમ છે.
જ્યારે ભરૂચ થી આવતી બસોમાં વિદ્યાર્થીઓ મુસાફરો અને નોકરી ધંધે અર્થે જતા લોકો માટે બસોની ફાળવણી ઓછી હોય અને પેસેન્જર ની સંખ્યા વધારે હોય જેથી સાંજના સમયે બે બસ વધારે ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચ ડેપો માંથી અને બાયપાસ થી પણ જંબુસર માટે અલગ બસની ફાળવણી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે..
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે
આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત
સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો
સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા
હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી
સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

