ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર સ્થિતિ..!!! - વહીવટી તંત્ર એલર્ટ મોડ પર..
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં એલર્ટ જાહેર...
Updated : August 01, 2025 03:57 pm IST
Sushil pardeshi
વિરલ ગોહિલ, ભરૂચ
ડેમમાં ઉપરવાસથી ભારે જળઆવક થતા ડેમના 23 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના સીધા અસરો ભરૂચ નજીકના કાંઠાવર્તી વિસ્તારોમાં જોવા મળી શકે છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મોટા પાયે પાણી છોડાતા ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર સ્થિતિને ધ્યાને લેતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી વોર્નિંગ લેવલ (22 ફૂટ) વટાવે તેવી શક્યતા હોવાને કારણે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયો છે. આ પરિસ્થિતિમા માછીમારોને નદીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે અને સ્થાનિક લોકોને પણ નદીકાંઠે ન જવાની સૂચના અપાઈ છે.
આ સંદર્ભે વહીવટી તંત્રએ તમામ સંબંધિત વિભાગો, પોલીસ મશીનરી, NDRF તથા આરોગ્ય વિભાગને સજ્જ રહેવા સૂચના આપી છે. નર્મદા નદીના પાણીનું સ્તર વધી શકે છે, જેથી લોકો જોડાયેલ માહિતી પર ધ્યાન આપે અને તંત્ર સાથે સહયોગ રાખે તેવી અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટ તંત્ર દ્વારા દર કલાકે અપડેટ આપવામાં આવશે અને હાલના તમામ કાંઠાવસ્તી વિસ્તારના સરપંચોને સાવચેતી રાખવા અંગે ખાસ સૂચના આપી દેવામાં આવી છે.

4 તોલા વજનની બુટ્ટીઓ ભરેલું બોક્સ ચોરીને ફરાર થઇ ગયો ગઠિયો.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી

બ્રિજ દુર્ઘટનામાં અટકેલા ટેન્કરને હોટ એર બલુન ટેક્નોલોજીથી બહાર કાઢવાની તજવીજ

ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલશે ! ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સસ્પેન્ડેડ 4 અને એક નિવૃત અધિકારી વિરુદ્ધ કાર્યવાહી માટે SIT ની રચના કરાઈ

દીકરીનો જન્મ થાય તો માતાપિતાને રૂ. ૧૫૦૦ની ભેટ - અંકોડિયા ગ્રામ પંચાયતની નવી પહેલ,

ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર સ્થિતિ..!!! - વહીવટી તંત્ર એલર્ટ મોડ પર..

ભરૂચ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં લાગી ભીષણ આગ

ભરૂચ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં લાગી ભીષણ આગ

ઘાસની ગાંસડીઓની આડમાં કન્ટેનરમાં ભરાવેલ ₹ 24.79 લાખના દારૂ સાથે હરિયાણાનો શાહરૂખ ઝબ્બે

ભાડભૂત બેરેજ પ્રોજેકટની સમય મર્યાદા પૂર્ણ થયાને 9 મહિના વિતી ગયા, હજી દોઢ વર્ષ જોવી પડશે રાહ

S.T ડેપોમાં મફત સુવિધાની આડમાં ગેરકાયદેસર ઉઘરાણી..!!

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર
