નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગનો સિલસિલો યથાવત 15 દિવસમાં ત્રીજો બનાવ...
તંત્ર ક્યારે લગાવશે સુરક્ષા જાળી.?
Updated : August 10, 2025 02:59 pm IST
Sushil pardeshi
વિરલ ગોહિલ, ભરૂચ
અંકલેશ્વર,ભરૂચ ,નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા પંદર દિવસમાં ત્રીજો બનાવ બન્યો છે, જેમાં સદનસીબે ત્રણે લોકોને બચાવી લેવાયા છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો હવે તંત્રને વહેલી તકે બ્રિજ પર સુરક્ષા જાળી લગાવવાની માંગ કરી રહ્યા છે.
નવીદિવી ગામ નજીક શિવદર્શન સોસાયટીમાં રહેતા આશરે 55 વર્ષીય પુરુષે રાત્રીના 1 વાગ્યે ઘરે પરથી નીકળી નર્મદા મૈયા બ્રિજ પરથી પાણીમાં છલાંગ લગાવી હતી. વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ નજીક નદીકાંઠે સ્થાનિક નાવિકોની નજરે તેઓ પાણીમાં હાથ હલાવતા જોવા મળ્યા. નાવિકોએ તરત જ તેમને બહાર કાઢી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી પુરુષ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેઓ જીવનથી કંટાળી ગયા છે અને જીવવું નથી. વારંવાર સમજાવ્યા બાદ તેમણે પોતાની દીકરીનો સંપર્ક નંબર આપ્યો હતો. પરિવારજનોને સ્થળ પર બોલાવી તેઓને સોપવામાં આવ્યા હતા.
આ પહેલા, દશામાતા વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધ અને થોડા જ દિવસો બાદ એક યુવતીએ પણ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. બંનેને સ્થાનિક માછીમારો અને ધર્મેશ સોલંકીની ટીમે બચાવ્યા હતા. ત્રણેય બનાવોમાં નાવિકો અને સામાજિક કાર્યકરોની સતર્ક તાથી જાનહાની ટળી છે. પરંતુ સતત બનતા આવા બનાવોને પગલે તંત્રે સુરક્ષા જાળી લગાવવાની વાત કરી હોવા છતાં હજી સુધી કામ શરૂ થયું નથી, જેને લઈ લોકમાગ ઉઠી છે કે વહેલી તકે પગલાં લેવામાં આવે.
પરિવારે પોતાના સગાને જીવ બચાવી લાવનાર નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો : સપાટી 135.35 મીટર પર પહોંચી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
