યુવાધન ને ભટકાવી રહ્યું છે સેલ્ફીનું ભૂત.!!!
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક...
Updated : August 12, 2025 01:11 pm IST
Sushil pardeshiઆજનું યુવાધન સેલ્ફીમાં એવું ઘેલું થયું છે કે જીવનો જોખમ લેતા પણ વિચારતા નથી. સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યા હોય તેવા કેટલાય સમાચારો પ્રકાશમાં આવ્યા છે. તેમ છતાંય આવા બનાવો અવારનવાર બનતા જ હોય છે. તેવામા આવો જ એક કિસ્સો ભરૂચ થી પ્રકાશમાં આવ્યો છે.
સેલ્ફીના ચક્કરમાં ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમા પાંચ યુવકોની જિંદગી જોખમમાં મૂકાઈ હતી. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં પાંચ યુવકો સેલ્ફી માટે નદી કિનારે લાંગરેલી બોટમાં ગયા હતાં. જ્યાં સેલ્ફી ખેંચી મોજમસ્તી કરી રહ્યા હતાં. આ દરમિયાન નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓચિંતો વધ્યો હતો.પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચેય યુવક ફસાયા હતાં. અને બુમાબુમ કરી હતી. સદનસીબે સ્થાનિક નાવિકને જાણ થતા તાત્કાલિક રેસ્ક્યુ કરી પાંચેય યુવકનો જીવ બચાવી લીધો હતો.
આ પાંચ યુવકોનો જીવ બચાવ્યા બાદ રેસ્ક્યુ કરનાર નવીકે યુવાનોને સેલ્ફી ના ચક્કર થી દૂર રહેવા વિનંતી કરી હતી. ત્યારે હવે આ નાવિકની વિનંતી ની અસર યુવાધન પર કેટલી થાય છે તે તો સમય જ બતાવશે.
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે
આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત
સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો
સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા
હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી
સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

