પાણી માટે કિલોમીટર સુધી વલખા મારતા નવા દાદાપોરના ગ્રામજનો
Updated : August 14, 2025 11:54 am IST
Sushil pardeshi
વિરલ ગોહિલ, ભરૂચ
આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે ગ્રામજનોને જીવનની પાયાની જરૂરિયાત પીવાનું શુદ્ધ પાણી માટે અતિ કષ્ટદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં પાણી પુરવઠાની વ્યવસ્થા ન હોવાથી 2 થી 3 દિવસે એક વાર પાણી મળે છે અને તે માટે લાંબી લાંબી લાઈનો લાગી જાય છે.
ગામજનો, જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત, 1 કિલોમીટર સુધી ચાલીને ઢીચણ સમાન પાણી, જેમાં ઝેરી જાનવર કે જીવ હોવાનો ભય રહે છે, તેવા જોખમ સાથે પાણી ભરવા જવા મજબૂર છે. જીવન જોખમે પાણી મેળવવું, એ નવા દાદાપોરના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે.
ગ્રામ પંચાયત પર ગંભીર આક્ષેપ
સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ ગામમાં રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં ગ્રામ પંચાયત સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. પાણીની ટાંકી ગામમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન ઊભી છે, પણ લોકોની તરસ બુઝાવતી નથી. સ્થાનિક ધારાસભ્યએ પણ આ મુદ્દે ગામના સરપંચને સાથે લઈ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કુવરજી બાવણીયા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ હાલ સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
વિકાસના દાવા સામે વાસ્તવિકતા
આ પરિસ્થિતિ વિકાસના દાવાઓને કઠોર પ્રશ્નો પૂછે છે. અમે ચાંદ પર જવાનો ગર્વ લઈએ છીએ, પરંતુ આપણા ગામોના સામાન્ય નાગરિકને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ નથી આ વિકાસના મોડેલ પર ગંભીર સવાલ ઉભો કરે છે. એક વર્ષથી વધુ સમયથી ગામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે, પરંતુ સમસ્યાનું કોઈ સ્થાયી સમાધાન મળતું નથી.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

મેહાલી સ્કૂલ, અટાલીમાં સ્વાતંત્ર્ય દિવસ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉજવાયો

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...

પંજાબના ફિરોજપુરના નસેડી ગુરજીતસિંગની ભરૂચ પોલીસે કરી ધરપકડ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
