એકતાનગર SOU ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
SSNNL ચેરમેન પુરીએ યોગને ટકાઉ જીવનશૈલી માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી
Updated : June 21, 2025 03:44 pm IST
Bhagesh Pawar
ભરત શાહ, નર્મદા
એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરીસરમાં ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પૂરીએ યોગના વ્યકિતગત લાભો સાથે તેના સામૂહિક અને સામાજિક ફાયદાઓ ઉપર ભાર મૂકતા જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ કરવું એ આપણા માટે ગૌરવની વાત છે. યોગ માત્ર કસરત નહીં, પણ શરીર, મન અને આત્માની સમતુલા માટેનો માર્ગ છે. યોગ ભારતીય સંસ્કૃતિની ભેટ છે અને ટકાઉ જીવનશૈલી માટે આવશ્યક છે.
વધુમાં પુરીએ ઉમેર્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સાહેબની પ્રતિમાના પ્રેરણાદાયી સ્થાને અને માઁ નર્મદાના પાવન તટ પર યોગ કરવું એ આપણું ગૌરવ છે. વડાપ્રધાન એ યુનો દ્વારા વિશ્વમંચ પર યોગને સ્થાન અપાવ્યું અને ભારતીય સંસ્કૃતિ યોગને આજે સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહ્યો છે. કોરોના જેવી મહામારી બાદ લોકો યોગ અને આયુર્વેદ તરફ હવે પાછાં વળ્યા, જે આપણી પરંપરાની મહત્તા દર્શાવે છે. યોગ જીવનની દિનચર્યાના પ્રારંભનો અભિન્ન ભાગ બને તે માટે પુરીએ સૌને અનુરોધ કર્યો હતો.
અંતે પૂરીએ કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને તેને હરિયાળું બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં યોગ કરીને વિશ્વને યોગ સાથે એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. યોગને જીવનમાં આત્મસાત કરવા પુરે સૌને અનુરોધ કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપસ્થિત તમામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિશાખાપટ્ટનમથી જીવંત પ્રસારણની ઝલક નિહાળીને તેમના દ્વારા યોગના મહત્વ અને તેના લાભો અંગે મળેલ માર્ગદર્શનનો લાભ લીધો હતો.
આઇકોનિક પ્લેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મેદસ્મિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગશિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ સામૂહિક યોગ કર્યો હતો. આ વર્ષે યોગ દિવસનની થીમ "યોગ ફોર વન અર્થ, વન હેલ્થ" હતી. જેનો આશય માનવ અને પર્યાવરણના સમન્વય અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને પ્રેરિત કરવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા SoUADTGAના સંયુક્ત ઉપક્રમે એકતાનગર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
