વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકતો વેનચાલકનો વિડિઓ વાયરલ
Updated : August 13, 2025 05:21 pm IST
Sushil pardeshi
શહેરના મુખ્ય માર્ગો પર વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી વાનોની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના વ્યસ્ત L&T સર્કલથી ફતેગંજ તરફ જતા રસ્તા પર એક મારુતિ વાન (ઓમ્ની) બેફામ ગતિએ દોડી રહી હતી, જેનો પાછળનો દરવાજો ખુલ્લો હતો, જેને એક કાપડના ટુકડાથી બાંધવામાં આવ્યો હોય તેમ જોઈ શકાય છે. ત્યારે એક જાગૃત નાગરિકે તેનો વિડિઓ બનાવી સોશ્યિલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ દ્રશ્ય જોઈને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે વાનની અંદર બેઠેલા નાના બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા.
શાળાએ જતા બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં હંમેશા ચિંતા રહે છે. ત્યારે આ પ્રકારની બેદરકારી વાલીઓની ચિંતામાં વધારો કરે છે. આવા બેદરકાર વાન ચાલક સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. વાન ચાલકો પોતાની બેદરકારીને કારણે બાળકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા આવી વાનો સામે કડક પગલાં લેવા તે અત્યંત જરૂરી છે...
આ પહેલીવાર નથી કે જ્યારે સ્કૂલ વાન ચાલકોની બેદરકારી સામે આવી હોય. ભૂતકાળમાં પણ ઓવરલોડિંગ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના અનેક કિસ્સાઓ બન્યા છે. આવા વાહનચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવે તો જ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે...

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
