વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકતો વેનચાલકનો વિડિઓ વાયરલ
Updated : August 13, 2025 05:21 pm IST
Sushil pardeshi
શહેરના મુખ્ય માર્ગો પર વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી વાનોની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના વ્યસ્ત L&T સર્કલથી ફતેગંજ તરફ જતા રસ્તા પર એક મારુતિ વાન (ઓમ્ની) બેફામ ગતિએ દોડી રહી હતી, જેનો પાછળનો દરવાજો ખુલ્લો હતો, જેને એક કાપડના ટુકડાથી બાંધવામાં આવ્યો હોય તેમ જોઈ શકાય છે. ત્યારે એક જાગૃત નાગરિકે તેનો વિડિઓ બનાવી સોશ્યિલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ દ્રશ્ય જોઈને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે વાનની અંદર બેઠેલા નાના બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા.
શાળાએ જતા બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં હંમેશા ચિંતા રહે છે. ત્યારે આ પ્રકારની બેદરકારી વાલીઓની ચિંતામાં વધારો કરે છે. આવા બેદરકાર વાન ચાલક સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. વાન ચાલકો પોતાની બેદરકારીને કારણે બાળકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા આવી વાનો સામે કડક પગલાં લેવા તે અત્યંત જરૂરી છે...
આ પહેલીવાર નથી કે જ્યારે સ્કૂલ વાન ચાલકોની બેદરકારી સામે આવી હોય. ભૂતકાળમાં પણ ઓવરલોડિંગ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના અનેક કિસ્સાઓ બન્યા છે. આવા વાહનચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવે તો જ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે...

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
