કોણે બચાવવાનો તખતો ગોઠવાયો ? SMC એ પકડેલા 2 કરોડ 44 લાખના દારૂની તપાસ વડોદરા PCB ને સોંપાઇ
Updated : June 19, 2025 04:33 pm IST
Raj
Yug Abhiyaan Times : વડોદરા શહેરના છેવાડે આવેલા દશરથ ખાતેના બાલાજી ગોડાઉનમાં બે દિવસ અગાઉ વહેલી સવારે સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે રેઇડ કરી 2 કરોડ 44 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસ.એમ.સીની વડોદરામાં અત્યાર સુધીની સૌથી મોટી રેઇડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે છાણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પકેટર અમિત ગઢવીને તાત્કાલીક અસરથી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ ગુના નિવારણ શાખા (PCB) ને સોંપવામાં આવી છે.
વડોદરા શહેરમાં ગેરાકાયદેસર રીતે અન્ય રાજ્યોમાંથી આવતો દારૂનો જથ્થો મોટા ભાગે વડોદરા પીસીબી ઝડપી પાડે છે. જેના પુરાવા પોલીસ ચોપડે છે. એટલે કહીં શકાય કે, શહેરમાં દારુ કયા રસ્તે અને કોણ કેવી રીતે લાવી રહ્યું છે, તેવી ઝીણવટભરી માહિતી પણ પીસીબીની ટીમ પાસે હોય છે. કારણ કે, પીસીબીની ટીમ દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો ઉપર સતત નર રાખતી હોય છે. તેવામાં સવાલ એ ઉભો થાય છે કે, દારુ પકડવામાં શહેર પોલીસની પીસીબી ટીમની માસ્ટરી છે, તો વડોદરામાં દારુ ભરેલી છથી સાત ગાડીઓ દશરથના બાલાજી ગોડાઉનમાં પહોંચી ત્યાં સુધી ગંધ સુધ્ધા ન આવી ?
ચલો માની લઇએ કે પોલીસના હ્યુમન સોર્સ નબળા પડ્યાં હશે એટલે જાણકારી ન મળી શકી, પરંતુ બાલાજી ગોડાઉનમાંથી બોલેરો પીકઅપમાં દારુ ભરીને ગોધરા ડિલિવરી આપવામાં આવે અને ત્યાંથી ગાડી ખાલી કરી પરત વડોદરા આવે તેની પણ જાણ સ્થાનિક પોલીસ સહિત પીસીબી, ડીસીબી અને એસ.ઓ.જીને ના થઇ ? આટલી વિપુલ માત્રમાં દારૂનો જથ્થો વડોદરામાં ઉતરે અને શહેર પોલીસ ઊંઘતી ઝડપાય તે ખુબ શરમજનક બાબત માનવમાં આવી રહીં છે.
દશરથનું બાલાજી ગોડાઉન જ્યાં દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડ્યો, તે જગ્યા છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, એટલે સ્વાભાવિક છે કે, આટલી મોટી રેઇડ પછી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને ગુસ્સો આવે અને તેઓ છાણી પી.આઇ અમિત ગઢવીને સસ્પેન્ડ કરે. પરંતુ આ સમગ્ર મામલાની તપાસ જ્યારે પીસીબીને સોંપવામાં આવે છે, ત્યારે એક એવી ચર્ચા શરૂ થાય છે કે, કોણે બચાવવા માટે આ સમગ્ર પ્રક્રરણની તપાસ પીસીબીને સોંપવામાં આવી છે.
આ કિસ્સા પર ઊંડાણપૂર્વક તપાસ થાય તો છાણી પોલીસ સ્ટેશનના પી.આઇની જેમ અન્ય કેટલાક વહીવટદારો અને અધિકારીઓની પણ બદલી કરવામાં આવે તો નવાઇ નહીં. હવે જોવાનું રહ્યું કે, સ્ટેટ મોનિટરીંગ સેલની રેઇડમાં જે ચાર આરોપીઓ પકડાયા છે, તેમના રિમાન્ડ દરમિયાન પીસીબી કેટલી સ્ફોટક વિગતો મેળવી પોલીસ કમિશનરને રિપોર્ટ સુપ્રત કરે છે અને ત્યારબાદ કોણ બચે છે અને કેટલાની બદલી થાય છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
