Updated : August 12, 2025 03:06 pm IST
Sushil Pardeshiઆજ રોજ વડોદરા શહેર પાસે આવેલ સિંધરોટ ખાતે મહીસાગર બ્રીજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા અરેરાટી વ્યાપી હતી. યુવકે બ્રીજથી ઝંપલાવતા જ રાહદારીઓ એકત્ર થઈ બુમરાણ મચાવી હતી. દરમ્યાન નદીના પટ પર ઉપસ્થિત એક નાવિકે સમયસૂચકતા વાપરી પાણીમાં ડૂબતા યુવકને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો બ્રીજ પર હાજર લોકોએ વિડિઓ બનવ્યો હતો. સ્થળ પર હાજર લોકોએ આ ડૂબતા યુવકને પ્રાથમિક સારવાર આપી હતી.

ત્યારે મળતી માહિતી મુજબ જીવન સંકેલવાની કોશિશ કરનાર આ યુવક કલેક્શન એજન્સીમાં કામ કરે છે. લોકો પાસે થી ઉઘરાવેલ પૈસા સંસ્થામાં જમા કરાવવાના બદલે પૈસા જુગારમાં હારી ગયો હતો. જે બાદ લોકોએ પૈસાની ઉઘરાણી શરૂ કરતા આ યુવક નાસીપાસ થઇ ગયો હતો. અને આ દેવાના વમળ માંથી બહાર નીકળવાનો માર્ગ ના મળતા આ રસ્તો અપાનાવ્યો હતો. આ યુવકનું જીવ બચાવનાર નાવિકે યુવકને આ જીવન ખુબ અમૂલ્ય છે, માનવ અવતાર ખુબ મુશ્કેલ થી મળે છે. તેવામાં આ જીવન ને આ રીતે નષ્ટ નહિ કરવાની સલાહ આપતા આ યુવક ચોધાર આંસુ રડી પડ્યો હતો.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.