સિંધરોટ મહીસાગર બ્રીજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ.
નાવિકે સમયસૂચકતા વાપરી પાણીમાં ડૂબતા યુવકને બચાવી લીધો.
Updated : August 12, 2025 03:06 pm IST
Sushil pardeshiઆજ રોજ વડોદરા શહેર પાસે આવેલ સિંધરોટ ખાતે મહીસાગર બ્રીજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા અરેરાટી વ્યાપી હતી. યુવકે બ્રીજથી ઝંપલાવતા જ રાહદારીઓ એકત્ર થઈ બુમરાણ મચાવી હતી. દરમ્યાન નદીના પટ પર ઉપસ્થિત એક નાવિકે સમયસૂચકતા વાપરી પાણીમાં ડૂબતા યુવકને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો બ્રીજ પર હાજર લોકોએ વિડિઓ બનવ્યો હતો. સ્થળ પર હાજર લોકોએ આ ડૂબતા યુવકને પ્રાથમિક સારવાર આપી હતી.

ત્યારે મળતી માહિતી મુજબ જીવન સંકેલવાની કોશિશ કરનાર આ યુવક કલેક્શન એજન્સીમાં કામ કરે છે. લોકો પાસે થી ઉઘરાવેલ પૈસા સંસ્થામાં જમા કરાવવાના બદલે પૈસા જુગારમાં હારી ગયો હતો. જે બાદ લોકોએ પૈસાની ઉઘરાણી શરૂ કરતા આ યુવક નાસીપાસ થઇ ગયો હતો. અને આ દેવાના વમળ માંથી બહાર નીકળવાનો માર્ગ ના મળતા આ રસ્તો અપાનાવ્યો હતો. આ યુવકનું જીવ બચાવનાર નાવિકે યુવકને આ જીવન ખુબ અમૂલ્ય છે, માનવ અવતાર ખુબ મુશ્કેલ થી મળે છે. તેવામાં આ જીવન ને આ રીતે નષ્ટ નહિ કરવાની સલાહ આપતા આ યુવક ચોધાર આંસુ રડી પડ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ એક્શનમાં.. કોને થશે રિપીટ.? કોનું પત્તું કપાશે.?
ભૂક્કા બોલાવશે વરસાદ : ગુજરાતમાં 20 દિવસમાં વરસાદ અને તોફાની પવન : અંબાલાલ પટેલની ચેતવણી
20 દિવસમાં બનાવી દીધી વોન્ટેડ લિસ્ટ, ઈનામ પણ જાહેર, DIG નિર્લિપ્ત રાયના એક્શનથી મચ્યો હડકંપ
ગુજરાત પોલીસના 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ જિલ્લાઓમાં બદલી..
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો સંગ્રામ : આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, કોણ કેટલું દમખમ બતાવશે ? જાણો.
અખબારના ફોટા અને માહિતીથી કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી સ્ક્રેપબુક

