Monday, August 18, 2025 9:04 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સિંધરોટ મહીસાગર બ્રીજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ.

    નાવિકે સમયસૂચકતા વાપરી પાણીમાં ડૂબતા યુવકને બચાવી લીધો.

    Updated : August 12, 2025 03:06 pm IST

    Sushil pardeshi
    સિંધરોટ મહીસાગર બ્રીજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ.

    આજ રોજ વડોદરા શહેર પાસે આવેલ સિંધરોટ ખાતે મહીસાગર બ્રીજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા અરેરાટી વ્યાપી હતી. યુવકે બ્રીજથી ઝંપલાવતા જ રાહદારીઓ એકત્ર થઈ બુમરાણ મચાવી હતી. દરમ્યાન નદીના પટ પર ઉપસ્થિત એક નાવિકે સમયસૂચકતા વાપરી પાણીમાં ડૂબતા યુવકને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો બ્રીજ પર હાજર લોકોએ વિડિઓ બનવ્યો હતો. સ્થળ પર હાજર લોકોએ આ ડૂબતા યુવકને પ્રાથમિક સારવાર આપી હતી.



    ત્યારે મળતી માહિતી મુજબ જીવન સંકેલવાની કોશિશ કરનાર આ યુવક કલેક્શન એજન્સીમાં કામ કરે છે. લોકો પાસે થી ઉઘરાવેલ પૈસા સંસ્થામાં જમા કરાવવાના બદલે પૈસા જુગારમાં હારી ગયો હતો. જે બાદ લોકોએ પૈસાની ઉઘરાણી શરૂ કરતા આ યુવક નાસીપાસ થઇ ગયો હતો. અને આ દેવાના વમળ માંથી બહાર નીકળવાનો માર્ગ ના મળતા આ રસ્તો અપાનાવ્યો હતો. આ યુવકનું જીવ બચાવનાર નાવિકે યુવકને આ જીવન ખુબ અમૂલ્ય છે, માનવ અવતાર ખુબ મુશ્કેલ થી મળે છે. તેવામાં આ જીવન ને આ રીતે નષ્ટ નહિ કરવાની સલાહ આપતા આ યુવક ચોધાર આંસુ રડી પડ્યો હતો.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.