વડોદરામાં ભવ્ય જગન્નાથ રથયાત્રા યોજાઈ, બંદોબસ્ત દરમિયાન પોલીસ જવાનના અવસાને શોક..
રથયાત્રાની ભક્તિમય ભવ્યતા વચ્ચે પોલીસ કર્મીના અકાળે અવસાને શોકનો વાતાવરણ
Updated : June 27, 2025 05:12 pm IST
Bhagesh Pawar
રથયાત્રાની ભવ્ય શરૂઆત
વડોદરા રેલ્વે સ્ટેશન પરથી આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો. હજારો ભક્તોએ નગરચર્યા દરમિયાન ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા, જેમાં સમગ્ર માર્ગ ભક્તિરસે ભીંજાઈ ગયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં યાત્રા શાંતિપૂર્વક સમપન્ન થઈ. માર્ગમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત, ભક્તોને પ્રસાદ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું.
ફરજ દરમિયાન પોલીસ જવાનનું અવસાન
આ ભવ્ય આયોજનને ભેદતી દુઃખદ ઘટનામાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ જવાન નરેશ હરજીભાઈ રાઠવા (ઉ.વ. ૩૮) અચાનક તબિયત બગડવાને કારણે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા. સારવાર દરમિયાન તેમનું અકાળે અવસાન થયું. પ્રાથમિક તપાસમાં હૃદયરોગના હુમલાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા.
મૃતકની વિગતો
નરેશભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના રહેવાસી હતા અને વડોદરાના પ્રતાપનગરમાં રહેતા હતા. તેઓ હરણી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. ઘટના સમયે તેઓ રાવપુરા પોલીસ સ્ટેશન હદમાં ફરજ પર તૈનાત હતા.
પોલીસ વિભાગમાં શોક
આ અપ્રતીત ઘટનાથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનો વાતાવરણ છવાઈ ગયો છે. પોલીસ કમિશનર દ્વારા મૃતકના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
