વડોદરામાં ભવ્ય જગન્નાથ રથયાત્રા યોજાઈ, બંદોબસ્ત દરમિયાન પોલીસ જવાનના અવસાને શોક..
રથયાત્રાની ભક્તિમય ભવ્યતા વચ્ચે પોલીસ કર્મીના અકાળે અવસાને શોકનો વાતાવરણ
Updated : June 27, 2025 05:12 pm IST
Bhagesh Pawarરથયાત્રાની ભવ્ય શરૂઆત
વડોદરા રેલ્વે સ્ટેશન પરથી આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો. હજારો ભક્તોએ નગરચર્યા દરમિયાન ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા, જેમાં સમગ્ર માર્ગ ભક્તિરસે ભીંજાઈ ગયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં યાત્રા શાંતિપૂર્વક સમપન્ન થઈ. માર્ગમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત, ભક્તોને પ્રસાદ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું.
ફરજ દરમિયાન પોલીસ જવાનનું અવસાન
આ ભવ્ય આયોજનને ભેદતી દુઃખદ ઘટનામાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ જવાન નરેશ હરજીભાઈ રાઠવા (ઉ.વ. ૩૮) અચાનક તબિયત બગડવાને કારણે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા. સારવાર દરમિયાન તેમનું અકાળે અવસાન થયું. પ્રાથમિક તપાસમાં હૃદયરોગના હુમલાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા.
મૃતકની વિગતો
નરેશભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના રહેવાસી હતા અને વડોદરાના પ્રતાપનગરમાં રહેતા હતા. તેઓ હરણી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. ઘટના સમયે તેઓ રાવપુરા પોલીસ સ્ટેશન હદમાં ફરજ પર તૈનાત હતા.
પોલીસ વિભાગમાં શોક
આ અપ્રતીત ઘટનાથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનો વાતાવરણ છવાઈ ગયો છે. પોલીસ કમિશનર દ્વારા મૃતકના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ એક્શનમાં.. કોને થશે રિપીટ.? કોનું પત્તું કપાશે.?
ભૂક્કા બોલાવશે વરસાદ : ગુજરાતમાં 20 દિવસમાં વરસાદ અને તોફાની પવન : અંબાલાલ પટેલની ચેતવણી
20 દિવસમાં બનાવી દીધી વોન્ટેડ લિસ્ટ, ઈનામ પણ જાહેર, DIG નિર્લિપ્ત રાયના એક્શનથી મચ્યો હડકંપ
ગુજરાત પોલીસના 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ જિલ્લાઓમાં બદલી..
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો સંગ્રામ : આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, કોણ કેટલું દમખમ બતાવશે ? જાણો.
અખબારના ફોટા અને માહિતીથી કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી સ્ક્રેપબુક

