સીસીટીવીની ડીવીઆર તળાવ માં નાખી દેતા પોલીસે ફાયરની મદદથી કર્યું રિકવર...
ચોરી કરી બચવા સીસીટીવીની ડીવીઆર પણ ચોર્યું...
Updated : August 13, 2025 12:33 pm IST
Sushil pardeshi
પાણીગેટ ન્યુ હેવન બિલ્ડિંગમાં બિલ્ડરની ઓફિસમાંજ કર્મચારીઓએ કર્યો હતો હાથફેરો....
6.5 લાખની ચોરીના ગુન્હામા મહત્વનો પુરાવો CCTVનું DVR તળાવ માં ફેંક્યું હોવાની કબૂલાત...
પાણીગેટ પોલીસે આજવા રોડના ન્યુ હેવન એંકલેવ બિલ્ડીંગમાં બિલ્ડરની ઓફિસમાંથી 6 લાખની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુન્હામાં ઓફિસના બે કર્મચારીઓની રોકડા રૂા.5.50 લાખ સાથે ધરપકડ કરી છે. બંને મિત્રો ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ડ્રોઅરમાંથી 6 લાખ ચોરીને સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડિવીઆર પણ લઈ ગયા હતાં. લોનના હપ્તા ભરવા આરોપીઓએ ચોરી કરી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.
પાણીગેટ પોલીસ સમક્ષ આરોપીઓએ કબલ્યું હતું કે સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડિવીઆર પણ ચોરી ગયા હતા. જે ડીવીઆર તેઓએ આજવા રોડ પર આવેલ કમલાનગર તળાવમાં ફેંકી દીધું હતું. જે ડીવીઆર મહત્વનો પુરાવો હોય પોલીસે કમલાનગર તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. જે માટે પોલીસે ફાયરબ્રિગેડની ટીમની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમ એ કલાકોની જહેમત બાદ DVR મળી આવતા પોલીસે કબ્જે લીધું હતું.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
