ગટરના ધોધે તણાયું ગરનાળું.!!
ફક્ત જાહેરાતો નહીં, અમલ જોઈએ! વડોદરામાં ગંદકીના ધોધ વચ્ચે જનજીવન હેરાન...
Updated : July 28, 2025 05:31 pm IST
Sushil pardeshi
વડોદરા શહેરમા છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગત વર્ષે આવા જ સમયે સમગ્ર વડોદરા શહેરને પૂરના સંકટે ધમરોડ્યું હતું. જે પૂરની પરિસ્થિતિ બાદ વડોદરા શહેરના નેતાઓ અને અધિકારીઓ પ્રજાની વચ્ચે આવતા પણ ફફળતા હતા. વડોદરા ની ભોળી જનતાના રોષ સામે નેતાગીરી ઠંડી પડી હતી. જે બાદ ગુજરાત સરકારે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા 1200 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. જેને લઇને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ગેલમાં આવી ગયા હતા. અને મોટી મોટી પ્રિ મોનસુન કામગીરીની જાહેરાતો કરી બેઠા હતા.
જે તમામ દાવાઓ પોકળ હોવાનું વડોદરા શહેરનું આ ગરનાળુ ચાડી ખાઈ રહ્યું છે. અહીં વાત થઈ રહી છે અકોટા થી સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારને જોડતા ગરનાળાની.. નજીવા વરસાદમાં ધોધ કે પર્યટક સ્થળ લાગતા દ્રશ્યો આ એ જ ગરનાળાના છે. પરંતુ જો ધ્યાનથી જુઓ તો ગટરોમાંથી વહેતું ગંદુ પાણી એક ધોધ સ્વરૂપે વહી રહ્યું છે. જેને લઈને આ ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ત્યારે કા'તો રાહદારીઓ ને જીવના જોખમે આ ગરનાળામાંથી પસાર થવુ પડે છે કા'તો પછી લગભગ દોઢ કિલોમીટર લાંબુ ફરીને જવાની ફરજ પડી છે. કેટલાક લોકો તો જીવના જોખમે ગરનાળા ની ઉપર થી રેલવે ટ્રેક ઓળંગીને અવર-જવર કરતા હોય છે.
મીટીંગ ઈટિંગ અને ચીટીંગમાં વ્યસ્ત વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની નિષ્કાળજી નો ભોગ વડોદરા ની આ નિર્દોષ પ્રજાને બનવું પડી રહ્યું છે તેવામાં ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં રોષ વ્યાપયો છે. પણ આ સત્તાધીશો ના પેટનું પાણી પણ હાલતું નથી.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
