સંસ્કારી નગરીમાં અનોખો પશુ પ્રેમ: શ્રાવણમાં શિવજીને અર્પણ કરાતા દુધના એક ભાગમાંથી રખડતા શ્વાનોની આંતરડી ઠારી
Updated : August 20, 2025 08:40 pm IST
Bhagesh pawar
સંસ્કારી નગરી વડોદરામાં રખડતા શ્વાન માટે અનોખી રીતે સેવા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દરમિયાન આજવા રોડ પર આવેલા શિવજીના મંદિરમાં જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા બોર્ડ મારવામાં આવ્યા હતા. સંસ્થાએ શિવભક્તોને અપીલ કરી કે, શિવજીને અર્પણ કરવામાં આવનાર દુધનો એક ભાગ અન્ય પાત્રમાં જમા કરવામાં આવે, તેમાંથી રખડતા શ્વાન માટે ભોજન બનાવીને તેમની આંતરડી ઠારવામાં આવશે. આ પ્રયાસનો શિવભક્તોનો સારો પ્રતિસાદ મળતા સેંકડો રખડતા શ્વાનની આંતરડી ઠારીને પ્રભુ ભક્તિની સાથે પશુ ભક્તિનો હેતુ પણ સિદ્ધ થયો છે.
વડોદરામાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના રાખતા લોકો મોટી સંખ્યામાં છે. જેઓ પ્રાણીઓ ભૂખ્યા ના સુઇ જાય તે વાતને લઇને સતત પ્રયત્નશીલ રહે છે. કેટલાય પ્રાણી પ્રેમી લોકો રાત પડ્યે પોતાના જમવાની પરવાહ કર્યા વગર શ્વાન, બિલાડી તથા અન્ય જીવ માટે ભોજનની વ્યવસ્થા સાથે નીકળી પડે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો તેમને બિલીપત્ર, ધૂપ, દૂધ, પાણી, મિષ્ઠાન વગેરે અર્પણ કરે છે.
આ તકને પશુઓની સેવામાં જોડવા માટે યુગ અભિયાન ફાઉન્ડેશન તથા અન્ય જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આજવા રોડ પર જળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સંસ્થા દ્વારા એક પાત્ર મુકવામાં આવ્યું છે.
પાત્ર પર લખ્યું છે કે, શિવજીને અર્પણ કરીને દુધનો એક હિસ્સો તેમાં એકત્ર કરવામાં આવે. જેનાથી ભેગું કરેલુ દૂધ રખડતા શ્વાનની આંતરડી ઠારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. લોકોએ આ પ્રયોગમાં ખુબ સારો સહકાર આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સેવાભાવી સંસ્થાના કાર્યકરનું કહેવું છે કે, આમ કરીને તેઓ રોજ 5 લીટર જેટલું દૂધ અને સોમવારના દિવસે 15 લીટર જેટલું દૂધ એકત્ર કરતા હતા. તેમાંથી અત્યાર સુધી સેંકડો રખડતા શ્વાનને જમાડીને તેમની આંતરડી ઠારવામાં આવી છે. મંદિરના મેનેજમેન્ટ દ્વારા પણ જીવદયા માટે કામ કરતી સંસ્થાને પુરતો સહકાર આપવામાં આવ્યો હતો.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
