લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો
Updated : August 17, 2025 02:20 pm IST
Bhagesh pawar
વડોદરા શહેરના સમા-હરણી લિંક રોડ પર આવેલા ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી 3 ઓગસ્ટના રોજ અજાણી વ્યક્તિની ડિકમ્પોઝ થયેલ લાશ મળી આવી હતી. આ ઘટનાના 13 દિવસ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે અને મૃતકની ઉંમર 40થી 60 વર્ષ વચ્ચેની છે.
ગત 3 ઓગસ્ટના રોજ વડોદરા શહેરના ટી.પી. 13 ફાયર સ્ટેશનની ટીમને વિશ્વામિત્રી નદીમાં લાશ તરતી હોવાનો કોલ મળ્યો હતો. જેથી, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડિકમ્પોઝ થયેલ લાશની આસપાસ ત્રણથી ચાર મોટા મગર ફરતા હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમે વાંસ અને લાકડાની મદદથી મગરોને ભગાવ્યા હતા અને લાશને ચાદરમાં લપેટી બહાર કાઢી હતી. લાશની સ્થિતિ અત્યંત ખરાબ હતી, હાથ અને પગ અડધા ખવાઈ ગયેલા હતા. ભારે જેહમત બાદ વિશ્વામિત્રી નદીમાંથી લાશને ડીકમ્પોઝ હાલતમાં બહાર કાઢી હતી.
ઘટનાની જાણ થતા સમા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમા પોલીસે લાશનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. જોકે તપાસ દરમિયાન મૃતકના વાલી વારસ મળી આવ્યા નહોતા. આ દરમિયાન મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બહાર આવ્યું છે કે, એકથી વધુ ધારદાર તીક્ષ્ણ હથિયાર દ્વારા શરીરના અલગ-અલગ ભાગો ઉપર ગંભીર ઈજાઓ કરીને હત્યા કરવામાં આવી છે.
કોઈ વાલી વારસ ન આવતા પોલીસે સાથે રહીં દફન વીધી કરી
મૃતક પુરુષની ઉંમર 40થી 60 વચ્ચેની છે. મૃતક શખસની ઓળખ છતી ન થાય તે હેતુથી તેને વિશ્વામિત્રી નદીના પાણીમાં કોઈ પણ જગ્યાએથી ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતકનું કોઈ વાલી વારસ ન આવતા પોલીસે સાથે રહીં તેની દફન વીધી કરી હતી. પોલીસે હવે મૃતકના પરિવારની શોધખોળ શરૂ કરી છે.
'પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે'- પીઆઈ
સમા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી. કોડિયાતરે જણાવ્યું હતું કે, મૃતકની હજી સુધી ઓળખ થઈ નથી પરંતુ, તેની હત્યા થઈ હોવાનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. મૃતકની ઓળખ છતી કરવા માટે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર સ્થિત મીસીંગ સેલમાંથી છેલ્લા ત્રણ મહિનાનો ડેટા મંગાવવામાં આવ્યો છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
