Monday, August 18, 2025 9:15 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો

    Updated : August 12, 2025 05:41 pm IST

    Sushil pardeshi
    પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો


    પંજાબ અમૃતસર ગ્રામ્યના જંડીયાલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના તથા આર્મ્સ એક્ટના ગુનાની તપાસ માટે પંજાબ પોલીસ વડોદરા શહેરમાં આવી હતી. પંજાબના જંડિયાલા ગુરૂ ખાતે વકીલની ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપી વડોદરામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. દરમ્યાન તા.10 અને 11 ઓગસ્ટના રોજ ગુજરાત એ.ટી.એસ., વડોદરા એસ.ઓ.જી. અને જવાહરનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદનું લોકેશન નવદુર્ગા સોસાયટી, બાજવા, વડોદરા ખાતે શોધી કાઢ્યું હતું. જોકે, શકમંદે તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હોવાથી પોલીસે વૃંદાવનનગર સોસાયટી, ગધેડા ગેટ પાસે અને બાજવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.



    આ ઓપરેશન દરમિયાન શકમંદ રાજવીરસિંઘ તેવરસિંઘની ગુનામાં ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન સાથે ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એ.ટી.એસ., વડોદરા શહેર એસ.ઓ.જી. અને જવાહરનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે પંજાબ પોલીસના સી.આઇ.એ. અમૃતસર ગ્રામ્યના સહયોગથી હત્યાના ગંભીર ગુનામાં આરોપી રાજવીરસિંઘ તેવરસિંઘની ધરપકડ કરી છે. આ શકમંદને પંજાબ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો | Yug Abhiyaan Times