Updated : August 12, 2025 05:41 pm IST
Sushil Pardeshi
પંજાબ અમૃતસર ગ્રામ્યના જંડીયાલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના તથા આર્મ્સ એક્ટના ગુનાની તપાસ માટે પંજાબ પોલીસ વડોદરા શહેરમાં આવી હતી. પંજાબના જંડિયાલા ગુરૂ ખાતે વકીલની ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપી વડોદરામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. દરમ્યાન તા.10 અને 11 ઓગસ્ટના રોજ ગુજરાત એ.ટી.એસ., વડોદરા એસ.ઓ.જી. અને જવાહરનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદનું લોકેશન નવદુર્ગા સોસાયટી, બાજવા, વડોદરા ખાતે શોધી કાઢ્યું હતું. જોકે, શકમંદે તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હોવાથી પોલીસે વૃંદાવનનગર સોસાયટી, ગધેડા ગેટ પાસે અને બાજવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ઓપરેશન દરમિયાન શકમંદ રાજવીરસિંઘ તેવરસિંઘની ગુનામાં ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન સાથે ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એ.ટી.એસ., વડોદરા શહેર એસ.ઓ.જી. અને જવાહરનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે પંજાબ પોલીસના સી.આઇ.એ. અમૃતસર ગ્રામ્યના સહયોગથી હત્યાના ગંભીર ગુનામાં આરોપી રાજવીરસિંઘ તેવરસિંઘની ધરપકડ કરી છે. આ શકમંદને પંજાબ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.