તંત્રના પાપે વડોદરાની પ્રજા ભોગવી રહી છે હાલાકી...
Updated : July 07, 2025 04:08 pm IST
Sushil Pardeshi
પાલિકાની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી પડી..!
વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ પાલિકાની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. છેલ્લા એક વર્ષથી અકોટાથી મુજમહુડા સુધીનો આખા રસ્તા પર આશરે દર દસ ફુટે મસમોટા ભુવા પડે છે. તેવામાં આજે ફરી એક વખત રોડ બેસી જતા ખાનગી કંપનીની બસનું ટાયર ભુવામાં ફસાયું હતું. જેના કારણે બસમાં હાજર મુસાફરોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. વારંવાર આ રસ્તા પર મસમોટા ભુવા પડતા હોય છતાં વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. જાણે કોઇ મોટી હોનારતથી રાહ જોવાથી તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
વડોદરા શહરેના અકોટાથી મુજમહુડા તરફ જવાના મુખ્ય માર્ગની આસપાસ કરોડો રૂપિયા ખર્ચી લોકોએ બંગલા બનાવેલા છે. આ રસ્તા પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો પસાર થયા છે, ત્યારે આ રોડની હાલત એવી કફોડી બની છે કે, અહીં પસાર થવામાં પણ લોકો ગભરાઇ રહ્યાં છે. કારણ કે , ગમે ત્યારે આ રોડ પર ભુવો પડી જાય છે.
થોડા દિવસો પહેલા જ ગત તા. 19 જુનના રોજ અકોટાથી મુજમહુડા તરફ જવાના માર્ગે મસમોટો ભુવો પડ્યો હતો. તેવામાં પાલિકા દ્વારા અંદાજીત એક અઠવાડીયા સુધી મશીનરી લગાવી સમારકામ કરવામાં આવ્યું હતું. આ સમયે વાહનોની અવર જવર પણ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે લોકોને લાગ્યું કે, હવે આ ભુવા પડવામાંથી રાહત મળશે, પરંતુ એવું બન્યું નહીં, લાખોનો ખર્ચ કર્યા બાદ પણ નગરજનોને ભુવા પડવામાંથી મુક્તિ મળી નહીં અને આજે ફરી એક વખત રોડ બેસી જતા બસનું ટાયર ખાડામાં ફસાયું હતું.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
