એમ.એસ.યુ ના વિદ્યાર્થીએ ઇમારત ના આંઠમાં માળે ઝંપલાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર...
જીવન ટુંકાવવાનું કારણ અકબંધ
Updated : July 06, 2025 05:02 pm IST
Sushil Pardeshi
વડોદરા અક્ષર ચોક સન ફાર્મા રોડ પર મેપલ વિસ્ટા નામની બંધ હાલતની ઇમારત પરથી ઝંપલાવી એક યુવકે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.સનફાર્મા રોડ પર આવેલ ઝાયડસ હોસ્પિટલની પાછળની ભાગમાં મેપલ વિસ્ટા નામની ઇમારત છે. જે બંધ હાલતમાં છે. આજ રોજ એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઘરે થી મટીરીલ લેવા જવ છું કહીને નીકળ્યો હતો. જે તેની મોટરસાયકલ લઈ ઝાયડસ હોસ્પિટલની પાછળની ભાગમાં મેપલ વિસ્ટા નામની આઠ માલની બંધ પડેલી ઇમારત પર પહોંચ્યો હતો. અને એ ઇમારત પરથી છલાંગ લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના બનતા પહેલા એક યુવાનને જાણ થતાં જ એક જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને ફોન કરીને જાણ કરી હતી કે એક યુવાન આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ યુવાને મોતની છલાંગ લગાવી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટીમ અને જે.પી. રોડ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારે સ્થળ પર થી પોલીસે આ યુવકની મોટરસાયલ નંબર GJ 06 QH 1876 મળી આવી હતી. પોલીસે કયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. ત્યારે હાલ સુધી આ યુવકે જીવન કેમ ટૂંકાવ્યું તે અંગે કોઈ જાણકારી મળી નથી ત્યારે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
