એશિયા કપનું શેડ્યૂલ જાહેર: પ્રથમ વખત 8 ટીમો ભાગ લેશે
Updated : July 26, 2025 07:01 pm IST
Bhagesh pawar
એશિયન ક્રિકેટ કાઉન્સિલ ના ચેરમેન મોહસીન નકવીએ 2025 એશિયા કપ નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ મેગા ઇવેન્ટ 9 સપ્ટેમ્બર થી શરૂ થશે અને તેની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર ના રોજ રમાશે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત 8 ટીમો ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, હોંગકોંગ, યુએઈ અને ઓમાનનો સમાવેશ થાય છે. એશિયન ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. એશિયન ક્રિકેટની મેગા ઇવેન્ટ, 2025 એશિયા કપ, આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ ના ચેરમેન મોહસીન નકવીએ સત્તાવાર રીતે ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
હાલમાં, 2025 એશિયા કપની ફક્ત પ્રારંભિક અને ફાઇનલની તારીખો જ જાહેર કરવામાં આવી છે. મોહસીન નકવીએ પુષ્ટિ કરી છે કે પહેલી મેચ 9 સપ્ટેમ્બરના રોજ રમાશે અને ફાઇનલ 28 સપ્ટેમ્બર ના રોજ થશે. તાજેતરમાં યોજાયેલી ACC ની બેઠકમાં, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાના કેટલાક મુદ્દાઓને બાજુ પર રાખીને એશિયા કપમાં રમવાનો નિર્ણય લીધો છે, જે ક્રિકેટ ચાહકો માટે રાહતની વાત છે.
2025 એશિયા કપનું આયોજન ભારતને મળ્યું હતું. જોકે, થોડા દિવસો પહેલા BCCI એ આ ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજવા માટે સંમતિ આપી હતી, ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો માટે. હાલમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો સૂચવે છે કે આ મેચો UAE ના દુબઈ અને અબુ ધાબીમાં રમાશે. આ પગલું બંને દેશો વચ્ચેના રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
2025 એશિયા કપ એક ઐતિહાસિક ટુર્નામેન્ટ બનવા જઈ રહી છે કારણ કે આ પ્રથમ વખત હશે જ્યારે એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લેશે. 1984 માં પહેલીવાર આયોજિત થયેલા એશિયા કપ અત્યાર સુધીમાં કુલ 16 વખત રમાઈ ચૂક્યો છે. પરંતુ 2025 માં, ભાગ લેનારી ટીમોની સંખ્યામાં વધારો જોવા મળશે. આ 8 ટીમોના નામ છે: ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, હોંગકોંગ, યુએઈ અને ઓમાન. આ વિસ્તૃત ફોર્મેટ ટુર્નામેન્ટને વધુ રોમાંચક બનાવશે અને ઉભરતી ક્રિકેટ ટીમોને મોટો મંચ પ્રદાન કરશે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

પાકિસ્તાન સાથે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં રમવા માટે મુક્ત: રમતગમત મંત્રાલય

રોહિત શર્મા સપ્ટેમ્બરના અંતમાં ઇન્ડિયા A ની વનડે મેચો માટે વાપસી કરી શકે છે

રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
