Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    કર્ણાટક સરકારે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામત 10% થી વધારીને 15% કરી

    Updated : June 20, 2025 03:28 pm IST

    Bhagesh Pawar
    કર્ણાટક સરકારે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામત 10% થી વધારીને 15% કરી

    કર્ણાટક કેબિનેટે ગુરુવારે રાજ્યમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામતની ટકાવારી 10 થી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લીધો. રાજ્યના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે જણાવ્યું હતું કે, "રાજ્યભરમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ગૃહ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી વિવિધ આવાસ યોજનાઓ હેઠળ, લઘુમતીઓ માટે અનામત 10 ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."


    સાથેજ તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લઘુમતીઓમાં બેઘર લોકોની સંખ્યા વધુ હોવાનું જોયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
    વિગતો આપતાં, એચ.કે. પાટીલે કહ્યું કે આમાં કોઈ નિયમો બનાવવાની જરૂર નથી કારણ કે તમામ લઘુમતી સમુદાયો માટે અનામત વધારવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    કર્ણાટક સરકારે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામત 10% થી વધારીને 15% કરી | Yug Abhiyaan Times