આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કરાલી પોલીસ દ્વારા વ્યસન મુક્તિ જન જાગૃતિ રેલી યોજવામાં આવી
Updated : June 19, 2025 04:51 pm IST
Raj
Yug Abhiyaan Times : ફૈજાન ખત્રી, છોટાઉદેપુર (Watch Gujarat). આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ 26 જૂન ના રોજ છે પરંતુ લોકો માં જન જાગૃતિ આવે તેવા હેતુ થી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ૧૨ જૂન થી ૨૬ જૂન સુધી જન જાગૃતિ ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જેતપુર પાવી ના કલારાણી માં પોલીસ દળ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મચારીઓ, એનસીસી કેટેડ્સ સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ડ્રગ્સ સામે લડત લડવા તેમજ જાગૃતિ ફેલાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા.
આજના આધુનિક યુગમાં મોબાઇલના વધતા ચલણની સાથે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સહિતના દૂષણ પણ વધી રહ્યા છે. આપણો ભારત દેશ દુનિયામાં સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે. યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવા સાથે પોલીસ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને દેશના યુવાનો ડ્રગ્સની લતે ન ચડે, લોકોને વ્યસનથી દૂર રહેવાની અને વ્યસનથી થતી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ અને બીજી પણ વિવિધ પ્રકારની પડતી મુશ્કિલોથી સચેત કરવા માટે વ્યસન મુક્તિ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.
આ અંગે કરાલી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, આજની તારીખમાં ડ્રગ્સ સમાજ માટે ખૂબ મોટું દૂષણ છે. તેના વિરુદ્ધમાં સમાજના તમામ નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે. જેથી ડ્રગ્સ જેવી બદીઓ થી આ વિસ્તારના લોકો જાગૃત થાય માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યસન મુક્ત અભિયાન અંતર્ગત કાઢેલી જનજાગૃતિ રેલીમાં શાંતિલાલ ગોરધનદાસ પટેલ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફ સાથે પોલીસકર્મી હાજર રહ્યા હતા.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
