Updated : July 17, 2025 06:55 pm IST
Bhagesh Pawarગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની કમાન ફરી એકવાર અમિત ચાવડાને સોંપવામાં આવી છે. જ્યારે, તુષાર ચૌધરીને વિધાનસભામાં પક્ષના નેતા બનાવાયા છે. કોંગ્રેસે ફરી એકવાર અમિત ચાવડા પર વિશ્વાસ મુક્યો છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું.
કડી, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બાદ શક્તિસિંહ ગોહિલે આપ્યું હતું રાજીનામું
મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ આ પદ ખાલી હતું અને આ પદની જવાબદારી કોના શિરે જશે ? તેને લઈને રાજકીય વર્તુળોમાં પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા હતા. જો કે, આજે તમામ અટકળો અને તર્ક વિતર્ક પર પૂર્ણ વિરામ લાગ્યો છે. કારણ કે, કોંગ્રેસ હાઇ કમાન્ડે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટે નામની જાહેરાત કરી છે.

અમિત ચાવડા પર કોંગ્રેસે ફરી એકવાર મુક્યો વિશ્વાસ
જણાવી દઈએ કે, કોંગ્રેસ હાઇકમાન્ડે એકવાર ફરી અમિત ચાવડા પર વિશ્વાસ દાખવ્યો છે અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જવાબદારી અમિત ચાવડાને સોંપવામાં આવી છે. આ સાથે વિધાનસભામાં પક્ષના નેતા તરીકેની જવાબદારી તુષાર ચૌધરીને સોંપવામાં આવી છે. અમિત ચાવડા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનો જૂનો અને જાણીતો ચહેરો છે. તેઓ ઘણા વર્ષોથી પાર્ટીમાં રહી સક્રિય કામગીરી કરી રહ્યા છે. વિવિદ મુદ્દાઓ પર રાજ્યની બીજેપી સરકારને ઘેરવાની અમિત ચાવડા પૂરજોર કોશિશ પણ કરે છે.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.