શપથ લેતાં ની સાથે જ ગોપાલ ઇટાલિયાએ કર્યો મોટો ધડાકો
Updated : July 16, 2025 05:23 pm IST
Bhagesh pawar
વિસાવદરમાં ધારાસભ્ય તરીકે ચુંટાયેલ ગોપાલ ઈટાલિયાએ આજરોજ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા હતા. ધારાસભ્ય પદના શપથ પહેલા ગોપાલ ઈટાલિયાનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર એક સમયે જુતું મારવાની ઘટના વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું એક સમયે વિધાનસભા પરિસરમાં ખોટા નિર્ણયો સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે હું આંદોલનકારી હતો. આજે હું તે પ્રશ્નો સામે ગૃહમાં લડવા આવ્યો છું.
આજે ઐતિહાસિક દિવસ છે. મહાન સંવિધાનથી હું ધારાસભ્ય બની રહ્યો છું. મારા માટે આ રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે. અનેક ક્રાંતિકારી નેતાઓએ ગૃહને શોભાવ્યું છે. વિસાવદર ભેસાણની જનતાને વંદન કરું છુ. એક સપનું લઈ ચાલતા હતા જે સાકાર થવા જઈ રહ્યું છે. શપથ પહેલા ગોપાલ ઈટાલિયાએ આકરા પ્રહાર કર્યા હતા. જેમાં કાંતિ અમૃતિયાના નિવેદન પર ગોપાલ ઈટાલિયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાતનો નાગરિક તૂટતા બ્રિજ અને રસ્તાઓથી પરેશાન છે. ગોપાલ ઇટાલિયના રાજીનામાથી બ્રિજ તૂટતા બંધ નહીં થાય. તેમજ તૂટતા બ્રિજ-બેરોજગારી અટકાવવા ભાજપે રાજીનામું આપવું પડશે.
રાજીનામુ આપવા અંગે ગોપાલ ઇટલીયાનું નિવેદન હતું કે, મારે નહિ આખી સરકારે રાજીનામુ આપવાની જરૂર છે. ગોપાલના રાજીનામાંથી શું થશે. ધારાસભ્ય પદ પરના શપથ લીધા બાદ ગોપાલ ઇટલીયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ડો બાબા સાહેબને યાદ કરું છું. જેમાં સંવિધાનની તાકાતના કારણે મારા જેવો સાધારણ વ્યક્તિ ચૂંટણી જીત્યો છે. હું વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. હું આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાને યાદ કરું છું. એમને ચિતરેલા માર્ગ પર ચાલી શકુ તે માટે પ્રયાસ કરીશ. જેમાં ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે. વિસાવદરની જનતાનો પણ હું આભારી છું. ગુજરાતની જનતાને વિનંતી છે કે તેઓ પોતાનો આત્મા જગાડે. ક્યાં સુધી ગુજરાતની આ પરિસ્થિતિ રહેશે. ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટલીયાએ આહવાન કર્યું હતું.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
