‘આઝાદી કા શ્રમદાન’ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સામુદાયિક સફાઈ કાર્યક્રમ યોજાયો
‘આઝાદી કા શ્રમદાન’ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સામુદાયિક સફાઈ કાર્યક્રમ યોજાયો
Updated : August 12, 2025 05:03 pm IST
Jitendrasingh rajput‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વડોદરા જિલ્લામાં અનેક સ્થળોએ આઝાદી કા શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ વિવિધ ગ્રામ્ય કક્ષાએ ગામ લોકો દ્વારા સામુદાયિક સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત ગામની ગલીઓ, જાહેર સ્થળો, સરકારી ઇમારતો આસપાસ તેમજ શાળાઓના પરિસરમાં સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ પ્લાસ્ટિક કચરા સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતાની કામગીરીમાં ગ્રામ પંચાયતના લોકો ઉપરાંત સ્વચ્છતા મિત્રો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.

આ કાર્યક્રમ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીની સાથે સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સામૂહિક સહયોગથી ગામોને સ્વચ્છ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ એક્શનમાં.. કોને થશે રિપીટ.? કોનું પત્તું કપાશે.?
ભૂક્કા બોલાવશે વરસાદ : ગુજરાતમાં 20 દિવસમાં વરસાદ અને તોફાની પવન : અંબાલાલ પટેલની ચેતવણી
20 દિવસમાં બનાવી દીધી વોન્ટેડ લિસ્ટ, ઈનામ પણ જાહેર, DIG નિર્લિપ્ત રાયના એક્શનથી મચ્યો હડકંપ
ગુજરાત પોલીસના 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ જિલ્લાઓમાં બદલી..
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો સંગ્રામ : આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, કોણ કેટલું દમખમ બતાવશે ? જાણો.
અખબારના ફોટા અને માહિતીથી કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી સ્ક્રેપબુક

