Updated : August 12, 2025 05:03 pm IST
Jitendrasingh Rajput‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વડોદરા જિલ્લામાં અનેક સ્થળોએ આઝાદી કા શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ વિવિધ ગ્રામ્ય કક્ષાએ ગામ લોકો દ્વારા સામુદાયિક સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત ગામની ગલીઓ, જાહેર સ્થળો, સરકારી ઇમારતો આસપાસ તેમજ શાળાઓના પરિસરમાં સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ પ્લાસ્ટિક કચરા સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતાની કામગીરીમાં ગ્રામ પંચાયતના લોકો ઉપરાંત સ્વચ્છતા મિત્રો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.

આ કાર્યક્રમ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીની સાથે સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સામૂહિક સહયોગથી ગામોને સ્વચ્છ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.