GSFC માં અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીએ રહસ્યમય રીતે કર્યો આપઘાત
કોમર્શિયલ બિલ્ડીગના સાતમા માળેથી નીચે ઝંપલાવી વિદ્યાર્થીનીનો રહસ્યમય આપઘાત
Updated : July 30, 2025 02:14 pm IST
Jitendrasingh rajput
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સ નામની કોમર્શિયલ બિલ્ડીગના સાતમા માળેથી મધરાતે નીચે ઝંપલાવીને એક યુવતીએ આપઘાત કર્યો હતો.
સવારના પોલીસ કંટ્રોલ રૂમને મળેલી વર્ધીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે બિલ્ડીંગના બેઝમેન્ટના ફ્લોર ઉપરથી યુવતીની લાશ લોહીલુહાણ હાલતમાં મળી હતી.ઘટનાની જાણ મૃતક યુવતીનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ જોતા તે નીચેથી સાતમા માળ સુધી દાદર પર ચડીને એકલી ગઈ હતી. ત્યાર પછી અગાસીમાં જવાનો રસ્તો નહીં હોવાથી તેણે સાતમા માળેથી નીચે ઝંપલાવ્યું હોઈ શકે. પોલીસે કહ્યું હતું કે બિલ્ડીંગમાં સિક્યુરિટી હતી જેના કારણે યુવતી પાછળના ગેટમાંથી અંદર પ્રવેશી હતી. પ્રાથમિક તપાસમાં યુવતી જીએસએફસી યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે તેણે આપઘાત કેમ કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે.યુવતી કોમર્સીયલ બિલ્ડીંગમાં કેવી રીતે આવી તેની પણ હાલ તપાસ ચાલી રહી છે આત્મહત્યા કે હત્યા તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.પોલીસે મોબાઇલ-ચશ્માં કબજે કર વધુ તપાસ હાથ ધરી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
