વડોદરામાં SAIYAARA ફિલ્મની વિપરીત અસરનો કિસ્સો સામે આવ્યો છે.
વાસ્તવીક જીવન ફિલ્મથી વિપરીત હોય છે - અભયમ
Updated : July 28, 2025 03:21 pm IST
Jitendrasingh rajput
લવ સ્ટોરી ફિલ્મની આવી અસર થશે એવું કોઈએ વિચાર્યું નહતું. લાંબા સમય બાદ સિનેમાઘરોમાં આવેલી આ લવ સ્ટોરી યુવા પેઢીના માથે ચઢી હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ જોઇને કોઇક બુમો પાડી રહ્યું છે, તો કોક બેશુદ્ધ હાલતમાં થીએટરમાં જોવા મળે છે. આ ફિલ્મને લઇને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ છે. આ વચ્ચે ફિલ્મનો હકીકતના જીવનમાં ખોટી અસર પડી હોવાનો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. યુવતિએ સૈયારા ફિલ્મ જોઇને પોતાના પ્રેમીને યાદ કર્યો હતો. અને તે લાગણીમાં વશ થઇને પોતાની જાતને ત્રણ દિવસ સુધી રૂમમાં પુરી રાખી હતી. આખરે પરિવારે અભયમની મદદ લેતા મામલે થાળે પડ્યો હતો. ફિલ્મની યુવાપેઢી પર વિપરીત અસર પડી રહી હોવાનું આ કિસ્સા પરથી સામે આવ્યું છે.
દેશભરમાં સોશિયલ મીડિયા પર સૈયારા ફિલ્મનો ભારે ઇમોશનલ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં આ ફિલ્મની વિપરીત અસરનો કિસ્સો સામે આવ્યો છે. સૈયારા જોઇને મેડિકલ કોલેજમાં લેક્ચરર યુવતિ ત્રણ દિવસથી પોતાના રૂમમાં પુરાઇ રહી હતી. આ અંગેની જાણ પરિજનનો થતા તેઓ ચિંતીત થયા હતા. અને મદદ માટે અભયમને કોલ કર્યો હતો. બાદમાં અભયમે તુરંત યુવતિ પાસે પહોંચીને તેની જોડે અસરકારક સંવાદ સાધ્યો હતો.
વાસ્તવીક જીવન ફિલ્મથી વિપરીત હોય છે - અભયમ
અભયમની ટીમે યુવતિને જણાવ્યું કે, ફિલ્મ એક મનોરંજન માટેનું સાધન છે. વાસ્તવીક જીવન ફિલ્મથી વિપરીત હોય છે. ફિલ્મમાંથી સારી બાબતો શીખવાની હોય છે. જે આપણને જીવનમાં ઉપયોગી નીવડે. ફિલ્મ જોયા બાદ યુવતિએ પોતાની લાગણી ધરાવતા યુવક અંગે ખુલ્લા દીલથી વાત કરી હતી. યુવતિને માર્ગદર્શન મળતા તે પરિસ્થિતીમાંથી બહાર આવવા માટે જાગૃત બની હતી. આમ, અભયમે ફિલ્મની વિપરીત અસર હેઠળ આવી ગયેલી યુવતિનો જીવ બચાવ્યો હતો.
Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
Recent news

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ
Related newsવધુ જુઓ

Vadodara
વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન
August 29, 2025Bhagesh pawar

Vadodara
કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ
August 29, 2025Jitendrasingh rajput

Vadodara
મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..
August 29, 2025Jitendrasingh rajput

Vadodara
સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો
August 28, 2025Jitendrasingh rajput
Popular news

Vadodara
વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...
July 23, 2025Sushil pardeshi

Vadodara
ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત
July 28, 2025Jitendrasingh rajput

Narmada
અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
July 26, 2025Sushil pardeshi

Gujarat
દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર
June 21, 2025Bhagesh Pawar