જર્જરિત બિલ્ડિંગમાં ભયના ઓથા હેઠળ ભણતા વિધાર્થીઓ.શું આવી રીતે ભણશે ગુજરાત..?
વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે
Updated : July 30, 2025 03:25 pm IST
Jitendrasingh rajput
વડોદરા પાસેના ઔદ્યોગિક રૂપાપુરા ગામે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત સ્થિતિમાં છે અને તોડવાની મંજૂરી પણ આપી દીધી છે પરંતુ નવી સ્કૂલ બનતી નહીં હોવાથી બાળકો જોખમી સ્થિતિમાં કુલ બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે.
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક સ્કૂલમાં પાણી ભરાઈ જવાની પાણી ટપકવાની તેમજ શૌચાલય નહીં હોવાની ફરિયાદો થઈ હોવા છતાં હજી પણ અનેક સ્કૂલો જર્જરિત અવસ્થામાં છે અને વિદ્યાર્થીઓ જાનના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. વડોદરાને અડીને આવેલા ઔદ્યોગિક વિસ્તાર રૂપાપુરા ગામે ચાલતી સરકારી પ્રાથમિક સ્કૂલની આવી જ સ્થિતિ છે. આ સ્કૂલની છતના પોપડા ખરી રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે અને વાયરીંગ નીકળી ગયું છે. જ્યારે પાણી ટપકતું હોવાની પણ ફરિયાદો થઈ છે.
નોંધપાત્ર બાબતો એ છે કે સ્કૂલને તોડી નાખવા માટે ખુદ જિલ્લા પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં આ સ્કૂલ તોડવાને બદલે ચાલુ રાખવામાં આવી છે અને જોખમ હોવાથી બાળકો સ્કૂલની બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ગામજનોની રજૂઆતો સાંભળવામાં નહીં આવતી હોવાથી હવે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
